જશોદાનગરમાંથી 105 કિલો બનાવટી ઘી પકડાયું કુંભમાં પાપ ધોવા ગયેલા સપ્લાયરના ગોડાઉન સીલ

ફરિયાદો મળતાં ચારભુજા કિરાણા પર રેડ, દુકાનમાલિકે દોષનો ટોપલો સપ્લાયર પર ઢોળ્યો

અમૂલના નામે નકલી ઘી વેચાતું હતું, ઘી પૂરું પાડનારો વેપારી હાથ ન લાગતા બે ગોડાઉન સીલ

નકલી ઘીના ડબા પર શુદ્ધને ‘શદ્ધ’ લખેલું હોવાથી કૌભાંડ પકડાયું, એક્સપાયરી ડેટમાં પણ ગોટાળા હતા

જશોદાનગરની એક દુકાનમાંથી બનાવટી ઘીના 15 કિલોના 7 ડબા પકડાયા છે. જ્યારે આ છૂટક વેપારીને ધી સપ્લાય કરનારાના બે ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે. લોકોની ફરિયાદોને પગલે મ્યુનિ. હેલ્થ વિભાગે ચારભુજા કિરાણા સ્ટોર પર તપાસ કરી હતી. વેપારી અમૂલ બ્રાન્ડના નામે નકલી ઘી વેચતો હોવાની શંકા છે. મ્યુનિ. સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે. બનાવટી ઘી પકડાતા વેપારીની પૂછપરછ કરાતા તેણે અમરાઈવાડીમાં હાર્દિક ટ્રેડર્સ પાસેથી આ ઘી ખરીદ્યાનું કહ્યું હતું.

હાર્દિક ટ્રેડર્સના અમરાઈવાડી, ખોખરાના ગોડાઉન સીલ કરાયા હતા. મ્યુનિ.ની ટીમ પહોંચી ત્યારે ગોડાઉન બંધ હતું. અધિકારીઓએ માલિકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફોન બંધ આવતો હતો. હેલ્થ ઓફિસર ભાવિન જોશીએ કહ્યું. તપાસમાં ધ્યાને આવ્યું હતું કે, અમૂલ બ્રાન્ડના નામે જે ઘી વેચાઈ રહ્યું છે તે ડબા બનાવટી છે. લેબમાંથી રિપોર્ટ આવે પછી કાર્યવાહી થશે.

નકલીને શુદ્ધમાં ખપાવવા આ રીતે ભેળસેળ

નકલી ઘીમાં સામાન્યપણે પામોલિન કે વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે. ફેટ વધારવા મટનટેલો જેવી ચરબી ઉમેરાય છે. જે આરોગ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. ઘીને આછો પીળો રંગ આપવા હાનિકારક કલર નખાય છે

વેપારીએ કહ્યું, મેં આવો જથ્થો આપ્યો નથી

વેપારીએ તેમનું નામ રમેશભાઈ જણાવી કુંભમાં ગયા હોવાનું કહ્યું હતું. તેમણે ઘીનો આવો જથ્થો આપ્યાનું નકાર્યું હતું.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી