ઈસનપુરમાં યુવકને વેશ્યાવૃતિ મામલે લુંટનારા 3 નકલી પોલીસની ધરપકડ

ડેકોરેશનનો વ્યવસાય કરતા યુવક પાસેથી રૂ 28 હજાર પડાવ્યા

વસ્ત્રાલમાં ડેકોરેશનનો વ્યવસાય કરતો યુવક નારોલ ચાર રસ્તા પાસે મજૂરોને લેવા માટે ગયો ત્યારે નકલી પોલીસે વેશ્યાવૃતિ કરે છે કહીને ધમકાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈને માર મારી નકલી પોલીસ અધિકારી સાથે વાત કરાવીને ધમકી આપીને રૂપિયા 28 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઉઠકબેઠક કરાવી છોડી મુક્યો હતો. આ અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા ઈસનપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

વસાલમાં રહેતા અને ડેકોરેશનનું કામકાજ કરતા મણિકંદન દેવર(ઉ.28) ડેકોરેશનનું કામકાજ કરે છે. ગત ચોથી એપ્રિલે રાતના 11 વાગે ટુ વ્હીલર લઈને ડેકોરેશનના કામ માટે મજૂરોની જરૂર હોઈ નારોલ ચાર રસ્તા જતા મજૂરો મળ્યા નહતા. દરમિયાન ત્યાંથી પાછા ફરતા કેડિલાબ્રિજની શરૂઆતમાં બે અજાણ્યા પુરુષોએ તેને રોકીને વાહન સાઈડમાં કરાવીને વેશ્યાવૃતિ કેટલા સમયથી ચાલુ કરી છે તેમ કહી પોલીસની ઓળખ આપીને કેસ કરવાની ધમકી આપી લાફા માર્યા હતા. બાદમાં ફોન લગાવીને કહ્યું હતુ કે અમારા પોલીસ અધિકારી સાથે વાત કર ત્યારબાદ સામે છેડેથી બોલતા શખ્સે અધિકારીની ઓળખ આપી જેલમાં જવુ નહોય તો એક લાખ રૂપિયા ની માંગણી કરી હતી.

બાદમાં બંને શખ્સોએ મણિકંદનની પાસે ઓનલાઈન રૂપિયા 28 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઉઠકબેઠક કરાવીને ધમકી આપી છોડી મુકયો હતો. આ અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ કરી બનાવટી પોલીસ યાસીન ઉર્ફે પપૈયા કુરેશી. મોહસીન શેખ અને અબરાર પઠાણની ધરપકડ કરી રૂા. 28 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.

આરોપી યાસીન કુરેશી સાત પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસના ગુનામાં પકડાયેલો છે. જયારે મોહસીન અને અબરાર બે ગુનામાં પકડાયેલા છે. આ ત્રણેએ કુલ 11 ગુના આચર્યા છે.

  • Related Posts

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો…

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    ભોપાલમાં એઈમ્સમાં નર્સીગં ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી રેલવે વિભાગની નર્સીગંની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતી તેની બહેનપણી સહિત ત્રણ વ્યકિત ભૂખ લાગતા નાસ્તો કરવા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

    તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

    બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો