4 પોલીસ વહીવટદારે મંજૂરી વગર જ વિદેશ પ્રવાસ કરતાં સસ્પેન્ડ

13 વહીવટદારની જિલ્લા બહાર બદલી થઈ

અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનના 13 વહીવટદારની ડીજીપી એ જિલ્લા બહાર બદલી કરી હતી. જો કે તેમણે ડીજીપીના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેની સામે ડીજીપી એ તે તમામની અપ્રમાણસર મિલકતોની તપાસ શરુ કરી હતી. જેથી વહીવટદારોએ કેસ પાછો ખેંચી લીધો હતો. જ્યારે 13 પૈકીના 4 વહીવટદાર મંજુરી વગર વિદેશ પ્રવાસ કરી આવ્યા હોવાનું ધ્યાન ઉપર આવતા ડીજીપી એ તેમને સસ્પેન્ડ કર્યા હતા.

ડીજીપી વિકાસ સહાયે નવેમ્બર 2024 માં અમદાવાદના 13 વહીવટદારની જુદા જુદા જિલ્લાઓમાં બદલી કરી હતી. તેમાંથી 3 વહીવટદારે ડીજીપીના આદેશ ને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેથી ડીજીપી એ તે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને આ 13 વહીવટદારોની અપ્રમાણસર મિલકતોની તપાસ સોંપી હતી. એસએમસી એ તપાસ શરુ કરતાની સાથે જ હાઈકોર્ટમાં ગયેલા 3 વહીવટદારે કેસ પાછો ખેંચી લીધો હતો.

જ્યારે તેમની વિરુધ્ધની સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ તો ચાલુ જ હતી. જેમાં તેમના પાસપોર્ટની માહિતી પણ એકત્રિત કરવામાં આવી હતી. જેની તપાસમાં હેડ કોન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ ઉર્ફે ફિરોઝ તડતડ(બોટાદ). કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી), હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ચૌહાણ(જામનગર) અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ દરબાર(જામનગર) છેલ્લા ૩ વર્ષમાં વિદેશ પ્રવાસ કરી આવ્યા હતા.

જેમાં ચારેય જણાં દુબઈ, નેપાળ, થાઈલેન્ડ ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. જો કે તેમણે વિદેશ જતા પહેલા ઉપરી અધિકારીઓની લેખિતમાં મંજૂરી લીધી ન જે વાત ડીજીપી વિકાસ સહ ધ્યાન ઉપર આવતા તેમણે ચારેય પોલીસ કર્મચારી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

  • Related Posts

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો…

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    ભોપાલમાં એઈમ્સમાં નર્સીગં ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી રેલવે વિભાગની નર્સીગંની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતી તેની બહેનપણી સહિત ત્રણ વ્યકિત ભૂખ લાગતા નાસ્તો કરવા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

    તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

    બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો