ઓઢવના આવાસમાં નિયમો નેવે મુકી તંત્રે બીયુ પરમિશન આપી

ટીડીઓ વિભાગના વાંધાઓ જ ધ્યાન ન લેવાયા

શહેરમાં ઓઢવ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ગરીબો માટે બનાવવામાં આવેલા ઇડબલ્યુએસ આવાસો તૈયાર થઈ ગયા છે. જોકે આ આવાસોમાં જીડીસીઆરના નિયમ પ્રમાણે અનેક બાબતોનો ભંગ કરાયો છે. તે સિવાય એસ્ટેટ વિભાગ દ્વારા પણ આ બિલ્ડીંગને બીયુ પરમીશન આપતાં પહેલા જે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા તેને પણ અભરાઇએ ચઢાવી દઈ મ્યુનિ. દ્વારા બિલ્ડીંગ યુઝ પરમીશન આપી દેવામાં આવી હોવાનો આક્ષેપ કોર્પોરેટર જગદિશ રાઠોડે કર્યો છે.

મ્યુનિ. કમિશનરને લખેલા પત્રમાં તેમણે બીયુ પરમીશન રદ્દ કરવા માટે માગ કરી છે. તેમણે એવી રજૂઆત કરી છેકે, આ બિલ્ડીંગ બનાવવા માટે જ્યારે રજા ચિઠ્ઠી આપવામાં આવી ત્યારે બિલ્ડીંગમાં સોલાર સીસ્ટમ લગાવવી, ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મુકવું. ડી.જી. સેટ લગાવવું, પરકોલેશન વેલની કામગીરી કરવી, બાંધકામ વપરાશ માટે નોટરાઇઝ બાંહેધરી રજુ કરવી, મંજુર થયેલા પ્લાન પ્રમાણે સ્થળ પર વૃક્ષારોપણ કરવું, ટોઇલેટ બાથરૂમમાં વેન્ટીલેટરમાં ગ્લાસ લગાવવા સહિતની કામગીરી કરવામાં નહી આવી હોવાના વાંધા એસ્ટેટ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. રજા ચિઠ્ઠી આપતાં પહેલા આ શરતોનું પાલન કરવું આવશ્યક છે. જોકે તેનો ભંગ કરવામાં આવ્યો છે. ત્યારે 1193 જેટલા મકાનો માટે બીયુ પરમીશન પાછળા બારણે આપી દેવામાં આવી છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન