શાહઆલમમાં ચોરીની શંકામાં યુવકને મારનારા 3 ની ધરપકડ

વટવા સદભાવના નગરમાં રહેતો 40 વર્ષીય શહેનશાહ ઉર્ફે મુન્નો અખ્તર શેખ શાહઆલમ દરગાહ પરિસરમાં પાથરણા લગાવીને રમકડા વેચવાનો વેપાર ધંધો કરે છે. ગત તા.9 જૂલાઈના રોજ વરસાદ વધુ હોવાથી યુવકે જ્યાં પાથરણાં લગાવીને ધંધો કરતો હતો, ત્યાં તપાસ કરવા ગયો હતો કે વરસાદના લીધે તેની જગ્યામાં પાણી ભરાઈ ગયા છે કે નહી. દરમિયાન તેની સામે વેપાર કરતી મહિલાએ આવીને તે મારા દીકરાના રૂપિયા અને મોબાઈલ ચોરી લીધા છે કહીને તેની સાથે ઝઘડો કરવા લાગી હતી.

યુવકે ઇનકાર કર્યો કે તેણે કોઈનો ફોન કે પછી રૂપિયા ચોર્યા નથી તેમ છતાં ફીઝાબાનુ અંસારી, તસ્લીમાબાનુ અંસારી તથા ઈસ્તીખાન અંસારીએ ત્રણેયે ભેગા મળીને રમકડા વેચીને ગુજરાન ચલાવતા યુવકને બેરહેમી પૂર્વક લાકડાના ડંડાના 24 ફટકા મારીને માથું ફોડી નાંખ્યું હતું. દરગાહના પરિસરમાં લોકોના ટોળા એકઠા થઇ જતા મામલો થાળે પડાવ્યો હતો. યુવક રીક્ષામાં બેસીને ત્યાંથી સારવાર માટે હોસ્પિટલ ગયો હતો. બીજી તરફ ફીઝાબાનુ અંસારી અને તસ્લીમાબાનુ અંસારી બંને મહિલાઓ ભેગા મળીને યુવકને માર મારી રહ્યા હતા. તેનો વિડીયો બનાવીને અજાણ્યા શખ્સોએ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. ત્યારબાદ ઇસનપુર પોલીસે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદ નોંધીને બે મહિલા સહીત ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન