ફતેવાડીમાં 500ના દરની નકલી નોટ વટાવવા આવેલી મહિલા પકડાઈ ગઈ

સાણંદના 2 શખ્સે આપેલી 27 નકલી નોટ મહિલા પાસેથી મળી

ફતેવાડીમાં પતિ તેમજ 2 દીકરી સાથે રહેતી મહિલા 500ના દરની 27 બનાવટી ચલણી નોટ સાથે પકડાઈ છે. આ મહિલા દુકાનોમાં, રેકડી ઉપર, નોટો વટાવતી હતી. એસઓજીની ટીમે મહિલાને ઝડપી લીધી હતી. જો કે આ મહિલાને બનાવટી નોટ આપી જતા સાણંદના 2 માણસને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી હતી.

એસઓજીના પીઆઇ વી. એચ. જોશીએ ફતેવાડી કેનાલ પાસેની ઝિન્નત રેસિડેન્સીમાં રહેતી સમરાખાન સમીરખાન પઠાણને પકડી લીધી હતી. પોલીસે સમરાખાનની પૂછપરછ કરતા તેને આ બનાવટી ચલણી નોટ વટાવવા માટે સાણંદનો અજય અને ઉસ્માન આપી ગયા હતા. જેથી પોલીસે તે બંનેને પકડવા તજવીજ શરૂ કરી હતી.

એક જ સિરીઝની નોટોથી ભાંડો ફૂટયો

પોલીસનું કહેવું છે કે સમરાખાન પાસેથી જે નકલી નોટો મળી છે. તેમાં એક જ સિરીઝની ૩ નોટ, એક સિરીઝની 5 નોટ મળી આવી હતી. જો કે એક જ સિરીઝની નોટ તે બજારમાં વટાવવા જતી હોવાથી ભાંડો ફૂટયો હતો. જો કે સમરાખાને આ પહેલા પણ કેટલી નોટ મંગાવી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

કલર પ્રિન્ટર મશીનમાં છાપ્યાની શંકા

પોલીસનું કહેવું છે કે સમરાખાન પાસેથી જે બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી હતી એ નોટની પ્રિન્ટિંગ ક્વોલિટી ખૂબ જ સારી હતી. આથી નોટ ઝેરોક્સ મશીનમાં છાપવામાં આવી નથી પરંતુ કલર પ્રિન્ટિંગ મશીનમાં નોટ છાપવામાં આવી હોવાની આશંકા છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન