શહેરની પેઢીએ બિલ વગર માલ વેચી રૂ.7 કરોડની ટેક્સચોરી કરી

ગાયત્રી એબ્રેસિવે 37 કરોડનો માલ બિલ વગર વેચ્યો

4 વર્ષથી કરચોરી થતી હતી, ભાગીદારની ધરપકડ

શહેરની ગાયત્રી એબ્રેસિવ નામની ભાગીદારી પેઢીની 7.07 કરોડની કરચોરી પકડાઈ છે. સીજીએસટીના અમદાવાદ નોર્થ કમિશનરેટે આ પેઢી બિલ વગર માલનું વેચાણ કરતી હોવાનું પકડી પાડયું છે. જીએસટી ભર્યા વગર પેઢીએ અંદાજે 37 કરોડનો માલ વેચ્યાનું બહાર આવ્યું છે.

જીએસટી વિભાગના જણાવ્યા અનુસાર, પેઢીએ નાણાકીય વર્ષ 2021-22થી ગ્રાઈન્ડ સ્ટોન, હેન્ડ ટૂલ્સ જેવા માલનું બિલ વગર વેચાણ કર્યું હોવાના ઇલેક્ટ્રોનિકપુરાવા મળી આવ્યા હતા. તે ઇનવોઇસ જનરેટ કર્યા વગર માલ વેચી જીએસટીની ચોરી કરતી હતી. પેઢીના ભાગીદારોમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. આ ભાગીદારે નિવેદનમાં કરચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમની 20 ફેબ્રુઆરીએ ધરપકડ કરાઈ હતી. હાલ આ ભાગીદારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. ગત સપ્તાહે અસ્તિત્વમાં ન હોય એવી પેઢીઓ પાસેથી બોગસ બિલિંગ મારફતે વિવિધ પેઢીઓએ ખોટી રીતે આઈટીસી રિફન્ડ મેળવ્યાનું પકડાયું છે. આ કેસમાં પણ 80 કરોડની કરચોરીની શંકા છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન