વટવામાં ઝઘડાનું સમાધાન કરાવતા યુવકને માર માર્યો

વટવામાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન કરાવનાર યુવકને મારી પાસે કેમ માફી મંગાવી કહીને દંડાથી માર મારીને ફ્રેકચર કરી દીધુ હતુ. આ અંગે વટવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વટવામાં ચાર માળીયામાં રહેતા મોહંમદ આફતાબ કુરેશી ભદ્ર બજારમાં નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. વીસેક દિવસ પહેલા તેમના બ્લોકમાં રહેતા ફૈયાઝ ઉર્ફે ટકકરને તેમની માસીના દિકરા રીઝવાન સાથે ઝઘડો થયો હતો. જેથી તે દિવસે આફતાબે ફૈયાઝ અને રીઝવાન બંનેને બેસાડીને એકબીજાની માફી મંગાવીને બંને વચ્ચે સમાધાન કરાવી દીધુ હતુ.

દરમિયાન બુધવારે રાતના અઢી વાગે આફતાબ કુરેશી દુધ લેવા માટે ગયા હતા. દુધ લઈને ઘરે પાછા ફરતા ફૈયાઝ ઉર્ફે ટકકર પોતાના હાથમાં દંડો લઈને આવ્યો હતો અને તે કેમ તારી માસીના દિકરા રીઝવાન પાસે મને માફી મંગાવી હતી તેમ કહીને ઉશ્કેરાઈ જઈને ગાળો બોલીને દંડાથી માર માર્યો હતો. જેથી બૂમાબૂમ થતા આસપાસના લોકોએ આવીને તેમને વધુ માર મારવાથી બચાવ્યા હતા. ત્યારબાદ આફતાબને એલ જી હોસ્પિટલ માં લઈ જતા તેમને ડાબા હાથે કાંડાના ભાગે ફ્રેકચર તથા જમણા પગમાં ઈજા થયાનુ જણાવ્યુ હતુ.

  • Related Posts

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો…

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    ભોપાલમાં એઈમ્સમાં નર્સીગં ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી રેલવે વિભાગની નર્સીગંની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતી તેની બહેનપણી સહિત ત્રણ વ્યકિત ભૂખ લાગતા નાસ્તો કરવા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

    તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

    બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો