બેંક ઓફ અમેરિકાના IT પ્રોફેશનલને પોલીસે ભાડાની ડિપોઝિટ પાછી અપાવી

મકાનમાલિક છ માસથી ધક્કા ખવડાવતા પોલીસનો સંપર્ક કર્યો

બેંક ઓફ અમેરીકાના આઈટી પ્રોફેશનલે મણિનગરમાં એક મકાન રૂ.9 હજારના ભાડે રાખ્યુ હતુ જોકે સંજોગોવસાત તેઓ ગાંધીનગર રહેવા માટે જતા રહ્યા હતા. આ સ્થિતિમાં તેમનો મકાનમાલિક તેમણે આપેલી ડિપોઝીટ પાછી નહી આપી છ મહિનાથી ધક્કા ખવડાવતો હતો.આ અંગે તેમણે જે ડીવીઝન એસીપીનો સંપર્ક કરતા પોલીસે મકાનમાલિક સામે ગુનો નોંધવાની તૈયારી બતાવતા આઈટી પ્રોફેશનલને તેણે ડિપોઝીટ પાછી આપી દીધી હતી. આમ પોલીસે નાગરીકને ત્વરીત મદદ કરી પોલીસ પ્રજાની મિત્ર એ સૂત્ર સાર્થક કર્યુ હતુ.

બિહાર પટણાના મોહિત પ્રકાશ સંજયકુમાર સિંહા બેંક ઓફ અમેરીકામાં આઈટી પ્રોફેશનલ તરીકે કામ કરે છે. હાલમાં તેઓ કામસર ભારત રહેતા હોઈ બે વર્ષ પહેલા મણિનગરમાં જયેશભાઈ નાણાંવટીનુ મકાન રૂ. 9 હજારમાં ભાડે રાખ્યુ હતુ.

ગાંધીનગર શીફટ થવાનુ થતા મકાન ખાલી કર્યું હતુ, પરંતુ મકાન ભાડે લેતી વખતે આપેલી ડિપોઝીટ મકાનમાલિક પાસે માંગતા છ મહિના સુધી ધક્કા ખવડાવીને હેરાન કરતા હતા. અંતે કંટાળીને મોહિત પ્રકાશ સિંહાએ એસીપી પ્રદિપસિંહ જાડેજા( જે ડીવીઝન)નો નંબર ઓનલાઈન મેળવીને તેમનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને ડિપોઝીટની રકમ પરત અપાવી હતી.

  • Related Posts

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો…

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    ભોપાલમાં એઈમ્સમાં નર્સીગં ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી રેલવે વિભાગની નર્સીગંની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતી તેની બહેનપણી સહિત ત્રણ વ્યકિત ભૂખ લાગતા નાસ્તો કરવા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

    તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

    બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો