ભાઈપુરા વોર્ડમાં ગેરકાયદેસર બાંધેલાં 5 મકાન તોડી પડાયાં

બાંધકામ ખસેડી 100 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો

શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિ દ્વારા દબાણો ખસેડવાની કામગીરી અંતર્ગત ભાઈપુરા વોર્ડમાં ટી.પી રસ્તામાં બાંધકામ કરાયેલા પાંચ રહેણાંક મકાનોને તોડી પાડીને 100 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો હતો. જ્યારે ઝોનના અન્ય વિસ્તારોમાંથી નડતરરૂપ પાંચ શેડ દૂર કરાયા હતા.

પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે ભાઈપુરા વોર્ડમાં રાજેશ પાર્કથી ઈશ્વર પાર્ક સોસાયટી સુધીના 12 મીટરના ટી.પી રસ્તામાં આવતા બાંધકામોના માલિકોને નિયમો મુજબ સમયાંતરે નોટિસો ફટકારી હતી. ત્યારબાદ મંગળવારે તમામ વાંધાનો નિકાલ કરીને પાંચ રહેણાંક પ્રકાના દબાણો જેસીબી મશીનથી તોડી પાડીને આશરે 100 મીટરનો રસ્તો ખુલ્લો કર્યો હતો.

જ્યારે GSLSA ના રિપોર્ટમાં સુચવેલા પૂર્વ વિવિધ રસ્તા પરથી 2 નંગ કાચા શેડ અને બીઆરટીએસ રૂટ પરના 3 નંગ શેડ દૂર કર્યા હતા. જ્યારે જુદા જુદા વોર્ડમાં જાહેરમાર્ગો પર નડતરરૂપ 14 નંગ લારી, 55 બોર્ડ-બેનર અને 80 નંગ પરચુરણ માલસામાન જપ્ત કર્યો હતો. ઉપરાંત સી એન્ડ ડી વેસ્ટના રૂ.5 હજારનો દંડ ફટકારાયો હતો.

  • Related Posts

    અમરાઈવાડીમાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

    અમરાઈવાડીમાં રહેતી યુવતીએ કોઈક કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ.આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ અમરાઈવાડીમાં રાજકુમારની ચાલીમાં રહેતા પ્રિયંકાબેન રાય(ઉ.25)એ રવિવારે સાંજના સમયે…

    કૃષ્ણનગરમાં શખ્સે “હું દાદા છું કહીને વેપારીને છરી મારી દીધી

    વેપારીના પિતા વચ્ચે પડતા તેમને પણ ઈજા થઈ કૃષ્ણનગરમાં કારમાં કટલરીનો વેપાર કરતા વેપારીને એક શખ્સે હું આ વિસ્તારનો દાદા છુ કહીને છરી મારી દીધી હતી. આ સમયે વેપારીના પિતા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર