નરોડા મુઠિયામાં બુટલેગરના બે માળના ગેરકાયદે મકાનને તોડી પડાયું

સરકારી જમીન પર બનાવેલા મકાનમાં દારૂનું વેચાણ કરતો હતો

શહેરના નરોડા મુઠીયા ગામ પાસે લિસ્ટેડ બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીએ બાંધેલા ગેરકાયદેસર મકાનને બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડયુ હતુ. બે માળનું મકાન સરકારી જમીન ઉપર બનાવીને દારૂ વેચવાની પ્રવૃતિ કરનારા બુટલેગરની સામે કાર્યવાહી કરવામા આવતા સ્થાનિક લોકો ટોળે વળ્યા હતા.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર નરોડા મુઠીયા ગામ નજીક અગાઉ દારૂ અને પોલીસ ઉપર હુમલો કરવા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીએ બે માળનુ મકાન સરકારી જમીન ઉપર બનાવી દીધુ હોવાની માહિતી મળતા આ મામલે મ્યુનિ.ની ટીમે તપાસ કરતા તથ્ય જણાતા તેનુ મકાન તોડી પાડવાની કાર્યવાહી બુધવારે એસ્ટેટ વિભાગના અધિકારીઓની હાજરીમાં શરૂ કરવામા આવ્યુ હતુ. જયેશ જયેશ ઉર્ફે જીગો સોલંકી બુટલેગર હોઈ કાર્યવાહી કરતી વખતે કાયદો અને વ્યવ્સથાની સ્થિતિ બગડે નહી તે માટે સ્થાનિક નરોડા પોલીસ ઉપરાંત વધારાની પોલીસફોર્સને પણ સ્થળ પર હાજર રાખવામાં આવી હતી.

ઉત્તરઝોનને એસ્ટેટ વિભાગ દ્વારા જયેશ ઉર્ફે જીગો સોલંકીને નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં પોતાનુ ગેરકાયદે મકાન નહી તોડતા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બુટલેગર આ મકાનમાં ભોંયરૂ બનાવીને દારૂ છુપાવી વેચાણ કરતો હોવાની માહિતી પણ બહાર આવી હતી.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન