શહેરની પેઢીએ બિલ વગર માલ વેચી રૂ.7 કરોડની ટેક્સચોરી કરી

ગાયત્રી એબ્રેસિવે 37 કરોડનો માલ બિલ વગર વેચ્યો

4 વર્ષથી કરચોરી થતી હતી, ભાગીદારની ધરપકડ

શહેરની ગાયત્રી એબ્રેસિવ નામની ભાગીદારી પેઢીની 7.07 કરોડની કરચોરી પકડાઈ છે. સીજીએસટીના અમદાવાદ નોર્થ કમિશનરેટે આ પેઢી બિલ વગર માલનું વેચાણ કરતી હોવાનું પકડી પાડયું છે. જીએસટી ભર્યા વગર પેઢીએ અંદાજે 37 કરોડનો માલ વેચ્યાનું બહાર આવ્યું છે.

જીએસટી વિભાગના જણાવ્યા અનુસાર, પેઢીએ નાણાકીય વર્ષ 2021-22થી ગ્રાઈન્ડ સ્ટોન, હેન્ડ ટૂલ્સ જેવા માલનું બિલ વગર વેચાણ કર્યું હોવાના ઇલેક્ટ્રોનિકપુરાવા મળી આવ્યા હતા. તે ઇનવોઇસ જનરેટ કર્યા વગર માલ વેચી જીએસટીની ચોરી કરતી હતી. પેઢીના ભાગીદારોમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. આ ભાગીદારે નિવેદનમાં કરચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમની 20 ફેબ્રુઆરીએ ધરપકડ કરાઈ હતી. હાલ આ ભાગીદારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. ગત સપ્તાહે અસ્તિત્વમાં ન હોય એવી પેઢીઓ પાસેથી બોગસ બિલિંગ મારફતે વિવિધ પેઢીઓએ ખોટી રીતે આઈટીસી રિફન્ડ મેળવ્યાનું પકડાયું છે. આ કેસમાં પણ 80 કરોડની કરચોરીની શંકા છે.

  • Related Posts

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ…

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર