શાહીબાગમાં પિતરાઈભાઈએ યુવકને છરીનો ઘા ઝીંકી દીધો

હુમલો કરવા પાછળ જવાબદાર કારણ અકબંધ

શાહીબાગમાં 19 વર્ષીય યુવકને તેના પિતરાઈ ભાઈએ મળવા માટે બહાર બોલાવીને છરીથી હુમલો કરી છાતીના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. આ અંગે યુવકે પિતરાઈ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગ ઠાકોરવાસમાં રહેતો પીયૂષ દિનેશભાઈ ઠાકોર (ઉ.19) પાલડીમાં એક શોરૂમમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ થાય છે. સોમવારે રાતના 11 વાગે તેના કાકાના દિકરા ધ્રુવ ઉર્ફે ગટ્ટુ રાજેશભાઈએ તેના ફોન પર ફોન કરીને તેના કહ્યું હતું કે તારો મિત્ર મિહિર તને બહાર બોલાવે છે. આથી પીયૂષ ઘરેથી બહાર નીકળીને અસારવા ચકલા પાસે આવ્યો ત્યારે તેનો પિતરાઈ ધ્રુવ ત્યાં હાજર હતો.

આ સમયે પિયુષે તેને મિહિર કયા છે કયાંય દેખાતો નથી તેમ કહ્યું હતુ. જો કે આ દરમિયાન ધ્રુવે અચાનક પીયૂષનુ ગળુ પકડી તેની પાસેની છરીથી એક ઘા છાતીમાં મારી દીધો હતો.. બીજો ઘા મારવા જતા પીયૂષના મિત્રએ તેને પાછળથી ખેંચી લીધો હતો.

આ સમયે આસપાસના લોકો દોડી આવ્યા હતા દરમિયાન ધ્રુવ ત્યાંથી નાસી છૂટયો હતો. ત્યારબાદ પીયૂષને લોહી નીકળતુ હોઈ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જયાંથી પોલીસને જાણ કરી હતી. આ અંગે પીયૂષ ઠાકોરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં તેના પિતરાઈ ધ્રુવ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. હજુ સુધી આ ઘટના કેમ બની તે અંગે કોઈ માહિતી મળી નથી.

  • Related Posts

    દારૂનો ધંધો બંધ કરવાનું કહેતા જમાઈએ સાસુને તલવાર મારી

    વટવા પોલીસમાં જમાઇ સામે સાસુની ફરિયાદ શહેરના નવાપુરા વટવા ખાતે રહેતા 55 વર્ષિય મહેરુનિશા શેખ તેના દીકરા અને પરિવાર સાથે રહે છે. આજથી ત્રણ વર્ષ અગાઉ મહિલાની દીકરીના લગ્ન જુહાપુરા…

    અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

    અનાજ લેવા દુકાને જતાં કાર્ડધારકોને આખરે તો નિરાશા મળે છે શહેરના શાહીબાગ ઘોડા કેમ્ય પાસેના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનોથી રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચાડવાની વ્યવસ્થા પડી ભાંગી છે.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    દારૂનો ધંધો બંધ કરવાનું કહેતા જમાઈએ સાસુને તલવાર મારી

    અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

    બેંક ઓફ અમેરિકાના IT પ્રોફેશનલને પોલીસે ભાડાની ડિપોઝિટ પાછી અપાવી

    કચરાના નિકાલની વ્યવસ્થા નહીં કરી હોય તો હોલ,પાર્ટીપ્લોટમાં બીયુ પરમિશન મળશે નહીં

    સાબરમતીમાં પ્રદૂષણ ન રોકવા બદલ 12 STP કોન્ટ્રાક્ટરને 4 કરોડનો દંડ

    વટવામાં ઝઘડાનું સમાધાન કરાવતા યુવકને માર માર્યો