ઘોડાસરમાં બેંકના ATMમાં રૂપિયા જમા કરાવવા જતા યુવકને લૂંટી લીધો

બે લુટારુએ હાથ મચકોડી, ખિસ્સામાંથી રૂ.14 હજાર કાઢી લીધા

ઈસનપુર વિસ્તારમાં ઘોડાસર ચાર રસ્તા પાસે એટીએમમાં રૂપિયા ભરવા જઈ રહેલા એક યુવકને ટુ વ્હીલર પર આવેલા બે અજાણ્યા પુરુષોએ રોકીને આપ કહા રહેતે હો કીસી કે સાથ લડાઈ હુઈ હે કહીને હાથ પકડી મચકોડીને ખિસ્સામાંથી રોકડા રૂપિયા 14 હજારની લુંટ કરી હતી. આ અંગે યુવકે લુંટ કરી નાસી છુટેલા બે પુરુષો સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નારોલમાં સ્વામીનારાયણ પાર્ક-1 માં રહેતા અને નારોલમાં લોજીસ્ટીક કંપનીમાં ડેટા એન્ટ્રીનુ કામકાજ કરતા અમરદિપ કદારનાથ તિવારી(ઉ.27) મંગળવારે સાંજના પોણા પાંચ વાગ્યાની આસપાસ તેમની ઓફિસેથી કંપનીના રૂપિયા 14 હજાર ઘોડાસર ચાર રસ્તા પાસે આવેલી આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ મશીનમાં ભરવા માટેનારોલથી ઘોડાસર તરફ સર્વિસ રોડ પર ચાલતા જતા હતા.

દરમિયાન શકિત પાર્ટી પ્લોટ પાસે પહોચતા પાછળથી એક ટુ વ્હીલર પર બે અજાણ્યા 40 થી 45 વર્ષના આશરાના પુરુષોએ તેમની પાસે વાહન ઉભુ રાખ્યુ હતુ. જેમાં એક પુરુષ અમરદિપ ને કહેવા લાગ્યો હતો કે આપ કહા રહેતે હો આપ કી કિસી કે સાથ લડાઈ હુઈ હે.

આ સાંભળીને અમરદિપ કશુ સમજે તે પહેલા અજાણ્યા પુરુષે તેનો જમણો હાથ પકડીને જોરથી મચડયો હતો. ત્યારબાદ વાહન ચલાવનાર પુરુષે અમરદિપને કમરમાંથી પકડીને ઉચો નીચો કરવા લાગ્યો હતો અને તેની પેન્ટના ખિસ્સામાં મુકેલા રૂ. 14 હજાર બળજબરીથી લુંટી લીધા હતા. આ સમયે અમરદિપએ બૂમાબૂમ કરતા બંને પુરુષો ટુ વ્હીલર પર બેસીને નાસી છુટયા હતા. આ અંગે અમરદિપે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા પુરુષો સામે લુંટની ફરિયાદ નોધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવીને લુંટારુઓનુ પગેરુ દબાવવાની તજવીજ હાથ ધરી છે.

  • Related Posts

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો…

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    પત્ની, તેના પ્રેમી અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો

    પૂર્વના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અકસ્માત થતાં હોવાની ફરિયાદો ઉઠી

    દાણીલીમડામાં નકલી ડોક્ટર બની સારવાર કરતાં પિતા-પુત્રની નકલી હોસ્પિટલ પકડાઈ

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી