પેરાસીટામોલ સહિતની 53 દવા CDSCOના પરીક્ષણમાં નિષ્ફળ

પેરાસિટામોલ દવાનું સેવન કરતા હોય તો ચેતી જજો

જો તમે પણ વિટામિન અને પેરાસિટામોલની દવાનો ઉપયોગ કરતા હોવ તો હવે સાવચેત થઈ જવાની જરૂર છે. વાસ્તવમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના ક્વોલિટી ચેકમાં પેરાસિટામોલ સહિતની 53 દવાઓ ફેલ થઈ છે. કેલ્શિયમ, વિટામિન ડી૩, એન્ટિ ડાયાબિટિસ અને હાઇ બ્લડપ્રેશર સહિતની 50થી વધુ દવાઓ દેશના ડ્રગ નિયામકના ગુણવત્તા પરીક્ષણ પાસ કરવામાં નિષ્ફળ રહી છે. પોતાના તાજેતરના માસિક ડ્રગ એલર્ટની યાદીમાં CDSCOએ 53 દવાઓને ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એલર્ટ (NSQ) ગણાવી છે. રાજ્યના ડ્રગ અધિકારીઓ દ્વારા દર મહિને કરાતા સેમ્પલિંગ બાદ NSQ એલર્ટ જારી કરવામાં આવે છે. નિયામક દ્વારા ક્વોલિટી ચેકમાં જે દવાઓ ફેલ થઇ છે તેમાં વિટામિન સી અને ડી3 માટેની દવા શેલકલ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી સોફ્ટજેલ્સ, એન્ટાસિડ પેન-ડી, પેરાસિટામોલ IP (500 એમજી), એન્ટિ ડાયબિટીક

ઓગસ્ટમાં 156 દવાઓ પર પ્રતિબંધ મુકાયો હતો

નોંધનીય છે કે, ગત ઓગસ્ટ દરમિયાન CDSCOએ એક કરતાં વધુ સંયોજનો ધરાવતી 156 ફિક્સ્ડ ડોઝ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે માણસો માટે જોખમી સાબિત થઇ શકે છે. આ દવાઓમાં જાણીતી તાવ માટેની દવાઓ, પેઈનકિલર્સ અને એલર્જીની દવા સામેલ છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન