રૂ.7 લાખની રકમ સામે રૂ.45 લાખ લઈ ધમકી આપતાં વ્યાજખોર સામે ફરિયાદ

કૃષ્ણનગરમાં વેપારીએ 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા

કૃષ્ણનગરમાં રહેતા જમીન વેચનો વ્યવ્સાય કરતા યુવકે તેમના પિતાની સારવાર અને મોટીબહેનના લગ્ન પ્રસંગ માટે રૂપિયાની જરૂર હોઈ વ્યાજખોર પાસેથી 10 ટકાના દરે રૂ સાત લાખ 2015માં લીધા હતા. જેની સામે રૂ. 45 લાખ જેટલુ વ્યાજ ચુકવવા છતાં હજુ વ્યાજખોરે વધુ રૂપિયા ની માંગણી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા અંતે વેપારીએ આ મામલે કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કૃષ્ણનગરમાં રહેતા કિર્તનભાઈ પટેલ જમીન લેવેચ તેમજ રેતી કપચીનો ધંધો કરે છે. આજથી 10 વર્ષ પહેલા તેમના પિતાને અવારનવાર શારિરીક તકલીફના લીધે મોટા ઓપરેશન કરાવ્યા હતા જેના લીધે બચતની રકમ વપરાઈ ગઈ હતી તેમજ મોટી બહેનના લગ્ન કરવાના હોઈ ગત જુલાઈ 2015માં તેમણે એક મિત્રને વાત કરતા તેણે બળદેવભાઈ અને અમરતભાઈ દેસાઈ વ્યાજે રૂપિયા આપતા હોવાનુ કહીને ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ બંને મિત્રો પાલડીમાં આવેલી બળદેવભાઈની ઓફિસે ગયા હતા જયાં રૂ. સાત લાખ વ્યાજે માંગતા તેમને સાત લાખનુ દરમહિને 10 ટકા વ્યાજ માંગી કોરા ચેક પર સહી લઈ રૂ. 6.30 લાખ વ્યાજ કાપીને આપ્યા હતા.

ત્યારબાદથી કિર્તનભાઈ દરમહિને વ્યાજપેટે રૂ. 70 હજાર બળદેવભાઈને આપતા હતા. અત્યારસુધીમાં તેમને ટુકડે ટુકડે કરીને આશરે રૂ.45 લાખ જેટલી રકમ આપવા છતાં વધુ રૂપિયાની માંગણી કરવામા આવતી હતી. છેલ્લા છ મહિનાથી વ્યાજ આપવામાં મોડુ થાય ત્યારે બળદેવભાઈ ફોન પર ગાળો બોલતા હતા. દરમિયાન ગત તા 21 મીએ રાતના પોણા અગિયાર વાગે બળદેવભાઈએ કિર્તનભાઈને ફોન કરીને કહ્યુ હતુ કે મારા રૂપિયા પરત આપી દેજે નહી તો જાનથી મારી નાખીશ. આ અંગે કિર્તનભાઈએ બળદેવભાઈ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    સ્કીમના નામે ઠગાઈની મેઘાણીનગરમાં ફરિયાદ મેઘાણીનગરમાં મંદિરનું સંચાલન કરતા કરતા કોરોનાકાળમાં ફાયનાન્સ કંપની ખોલીને લોકોને બચત યોજનાના નામે લોભામણી લાલચ આપીને રૂપિયા લઈ પાકતી મુદ્દતે નાણાં પરત નહી આપવા બદલ…

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને હેરાનગતિ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકોની તંત્રમાં રજૂઆત શહેરના પૂર્વના નિકોલ વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ જેટલા લોકો વસવાટ કરવા આવ્યા છે. એટલે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર

    ઈસનપુરમાં વિધવાને લગ્નની લાલચ આપી દાગીના લઈ ફરાર ગઠિયો સુરતથી ઝડપાયો

    ખોખરામાં યુવતીના ઘરે તોડફોડ કરનારા યુવક, મિત્રની ધરપકડ