રૂ.7 લાખની રકમ સામે રૂ.45 લાખ લઈ ધમકી આપતાં વ્યાજખોર સામે ફરિયાદ

કૃષ્ણનગરમાં વેપારીએ 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા

કૃષ્ણનગરમાં રહેતા જમીન વેચનો વ્યવ્સાય કરતા યુવકે તેમના પિતાની સારવાર અને મોટીબહેનના લગ્ન પ્રસંગ માટે રૂપિયાની જરૂર હોઈ વ્યાજખોર પાસેથી 10 ટકાના દરે રૂ સાત લાખ 2015માં લીધા હતા. જેની સામે રૂ. 45 લાખ જેટલુ વ્યાજ ચુકવવા છતાં હજુ વ્યાજખોરે વધુ રૂપિયા ની માંગણી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા અંતે વેપારીએ આ મામલે કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કૃષ્ણનગરમાં રહેતા કિર્તનભાઈ પટેલ જમીન લેવેચ તેમજ રેતી કપચીનો ધંધો કરે છે. આજથી 10 વર્ષ પહેલા તેમના પિતાને અવારનવાર શારિરીક તકલીફના લીધે મોટા ઓપરેશન કરાવ્યા હતા જેના લીધે બચતની રકમ વપરાઈ ગઈ હતી તેમજ મોટી બહેનના લગ્ન કરવાના હોઈ ગત જુલાઈ 2015માં તેમણે એક મિત્રને વાત કરતા તેણે બળદેવભાઈ અને અમરતભાઈ દેસાઈ વ્યાજે રૂપિયા આપતા હોવાનુ કહીને ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ બંને મિત્રો પાલડીમાં આવેલી બળદેવભાઈની ઓફિસે ગયા હતા જયાં રૂ. સાત લાખ વ્યાજે માંગતા તેમને સાત લાખનુ દરમહિને 10 ટકા વ્યાજ માંગી કોરા ચેક પર સહી લઈ રૂ. 6.30 લાખ વ્યાજ કાપીને આપ્યા હતા.

ત્યારબાદથી કિર્તનભાઈ દરમહિને વ્યાજપેટે રૂ. 70 હજાર બળદેવભાઈને આપતા હતા. અત્યારસુધીમાં તેમને ટુકડે ટુકડે કરીને આશરે રૂ.45 લાખ જેટલી રકમ આપવા છતાં વધુ રૂપિયાની માંગણી કરવામા આવતી હતી. છેલ્લા છ મહિનાથી વ્યાજ આપવામાં મોડુ થાય ત્યારે બળદેવભાઈ ફોન પર ગાળો બોલતા હતા. દરમિયાન ગત તા 21 મીએ રાતના પોણા અગિયાર વાગે બળદેવભાઈએ કિર્તનભાઈને ફોન કરીને કહ્યુ હતુ કે મારા રૂપિયા પરત આપી દેજે નહી તો જાનથી મારી નાખીશ. આ અંગે કિર્તનભાઈએ બળદેવભાઈ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન