કૃષ્ણનગરમાં શખ્સે “હું દાદા છું કહીને વેપારીને છરી મારી દીધી

વેપારીના પિતા વચ્ચે પડતા તેમને પણ ઈજા થઈ

કૃષ્ણનગરમાં કારમાં કટલરીનો વેપાર કરતા વેપારીને એક શખ્સે હું આ વિસ્તારનો દાદા છુ કહીને છરી મારી દીધી હતી. આ સમયે વેપારીના પિતા અને તેમનો ભાઈ વચ્ચે બચાવવા પડતા તેમના પિતાને પણ ચપ્પુ મારી દીધુ હતુ. આ અંગે વેપારીએ કૃષ્ણનગર પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કૃષ્ણનગરમાં પરિમલ રેસીડેન્સીમાં રહેતા દિપકભાઈ સુરેશકુમાર(ઉ.29) અને તેમના પિતા કારમાં કટલરીનો સામાન ભરીને અલગ અલગ જગ્યાએ વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. ગત સોમવારે રાતના સાડા દસ વાગે પિતાપુત્ર તથા તેમનો મોટાભાઈ ચિરાગ કાર લઈને બાપા સીતારામ ચોકખાતે વેપાર કરતા હતા. આ સમયે એક ઈસમે આવીને કહ્યુ હતુ કે મારુ નામ કમલેશ ઉર્ફે રિન્કુ સિકરવાર છે હું ભગીરથ ઈન્ટરસીટીમાં રહુ છુ અને અહીંયાનો દાદા છું જેથી. દિપકભાઈએ તેને હું તમને ઓળખતો નથી તમે જે હોય તે અમને અમારુ કામ કરવા દો તેમ કહ્યુ હતુ. આ સાંભળીને કમલેશ ઉશ્કેરાયો હતો અને તેની પાસેનુ ચપ્પુ કાઢીને દિપકભાઈને હાથની કલાઈ ઉપર મારી દીધુ હતુ. આ સમયે તેમના પિતા અને મોટાભાઈ વચ્ચે છોડાવવા પડતા તેમને પિતાને ડાબા હાથની આંગળીએ ચપ્પુ મારી દીધુહતુ. અને મોટાભાઈને તું વચ્ચે પડતો નહી નહીતો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

  • Related Posts

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    5 કે વધુ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા હતા અમદાવાદ એક બાજુ ‘ક્રાઈમ કેપિટલ’ બની રહ્યું છે અને પોલીસની છબી ખરડાઈ રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનરે 5 કે…

    આ રહી એન્ટિ ઈન્કમ્બન્સી, અમદાવાદમાં લોકોએ ભાજપના નેતાઓને કહ્યું, હવે મત માગવા આવજો

    વર્ષોથી સુવિધાના કામ ન થતાં દસક્રોઇના 4 ટર્મ MLAની હાજરીમાં નાગરિકોનો રોષ ફાટ્યો ભાજપના કાર્યકરોએ લોકોનો અવાજ દબાવવા ‘ભારત માતા કી જય’ પોકારી દેકારો મચાવ્યો અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીને હવે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન