નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી

નારોલમાં રહેતા 32 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ જાન્યુઆરી 2024માં રાજસ્થાનના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં રહેવા ગઈ ત્યારથી જ પતિ સહિત સાસરિયાઓએ દહેજની માંગણી શરૂ કરી હતી. બાદમાં ઘરની નાની-નાની બાબતોમાં પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ પતિ-પત્ની બેંગ્લોર રહેવા ગયા ત્યાં પણ સાસુ-સસરા પરિણીતાના વિશે પતિને ખોટી ચઢામણી કરતા હતા.

આટલું જ નહિ પતિ પત્નીનો પગાર લઇ લેતો બચત અને મકાન બુક કરાવવા પેટે કુલ રૂ. 2.50 લાખ લઈ લીધા હતા. ઉપરાંત પતિએ પત્નીના સહિ કરેલ ચેકો પણ લીધા અને પાવર ઓફ એટર્ની પર સહિ કરાવી ફ્લેટ તબદીલ કરી દીધો હતો. તેમજ દહેજ ન આપતા પતિએ પત્નીને બેંગ્લોરમાં પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરિણીતા પિયરમાં રહેવા આવી હતી. આ અંગે પરિણીતાએ સાસરિયાં સામે નારોલ પોલીસમાં ફરિયાદ કરી છે.

  • Related Posts

    નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ

    વટવામાં મયૂરપાર્ક સોસાયટીમાં રહેતા અનવરહુસેન મીરઝા નારોલમાં કેમ્બે ફાર્મ ધરાવીને ખેતીકામ ઉપરાંત ઈંડાની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. ગત મંગળવારે રાતના આઠ વાગે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના ત્યાં…

    વટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરી

    પરિવાર બહાર હતો, કોઈએ ડબ્બામાંથી દાગીના કાઢી લીધા પોલીસને કોઈ જાણભેદુએ જ ચોરી કરી હોવાની આશંકા વટવા ગામડી રોડ પર રહેતા એક પરિવારને બેડરૂમમાં બેડની અંદર સોનાના દાગીના કિંમત રૂ.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ

    વટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરી

    ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું

    ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું

    પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોત

    પ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાં

    મહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર