નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી

નારોલમાં રહેતા 32 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ જાન્યુઆરી 2024માં રાજસ્થાનના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં રહેવા ગઈ ત્યારથી જ પતિ સહિત સાસરિયાઓએ દહેજની માંગણી શરૂ કરી હતી. બાદમાં ઘરની નાની-નાની બાબતોમાં પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ પતિ-પત્ની બેંગ્લોર રહેવા ગયા ત્યાં પણ સાસુ-સસરા પરિણીતાના વિશે પતિને ખોટી ચઢામણી કરતા હતા.

આટલું જ નહિ પતિ પત્નીનો પગાર લઇ લેતો બચત અને મકાન બુક કરાવવા પેટે કુલ રૂ. 2.50 લાખ લઈ લીધા હતા. ઉપરાંત પતિએ પત્નીના સહિ કરેલ ચેકો પણ લીધા અને પાવર ઓફ એટર્ની પર સહિ કરાવી ફ્લેટ તબદીલ કરી દીધો હતો. તેમજ દહેજ ન આપતા પતિએ પત્નીને બેંગ્લોરમાં પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરિણીતા પિયરમાં રહેવા આવી હતી. આ અંગે પરિણીતાએ સાસરિયાં સામે નારોલ પોલીસમાં ફરિયાદ કરી છે.

  • Related Posts

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો…

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    પત્ની, તેના પ્રેમી અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો

    પૂર્વના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અકસ્માત થતાં હોવાની ફરિયાદો ઉઠી

    દાણીલીમડામાં નકલી ડોક્ટર બની સારવાર કરતાં પિતા-પુત્રની નકલી હોસ્પિટલ પકડાઈ

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી