રામોલમાં સીટી વગાડતા પુત્રને પતિની બીક બતાવતાં પત્નીને ગડદાપાટુનો માર માર્યો

તારા પિતા ગરમ મગજના છે તેમ કહેતાં પતિ વિફર્યો હતો

રામોલમાં પતિ સૂઈ રહ્યો હતો ત્યારે નાનોદિકરો સીસોટી વગાડતો હોઈ માતાએ તેના પુત્રને કહ્યું હતુ કે પતિ ઉધમાં જાગી જતા તેણે પત્નીને તું આપણા દિકરાને મારી વિરુદ્ધ ભડકાવે છે તેમ કહીને પત્નીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે પત્નીએ પતિ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રામોલમાં રહેતી 30 વર્ષીય મહિલાના લગ્ન 2018માં તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન મહિલાએ એક પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો હતો. જો કે ત્યારબાદ પતિની નોકરી છુટી જતા પતિના સ્વભાવમાં બદલાવા આવી ગયો હતો. પતિ નાનીનાની વાતોમાં પત્ની સાથે ઝઘડો કરતો હતો.

આ અંગે મહિલાએ તેના માતાપિતાને વાત કરતા બાળકો નાના હોઈ સંસાર તુટે નહીં તે ઉ તેમ. કહીને દિકરીને સમજાવીને ભવિષ્ય બગડે નહી તેવી સલાહ આપતા પત્ની ચુપચાપ પતિનો ત્રાસ સહન કરતી હતી. મહિલાએ તેની સાસુને પણ રજુઆતbકરતા તેઓ પણ પુત્રનો પક્ષ લઈને મહિલાને નાની નાની વાતોમાં હેરાન કરીને માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન મંગળવારે સવારના નવ વાગ્યાના સુમારે મહિલાની સાસુ મરણ પ્રસંગે બહારગામ ગયા હતા. આ સમયે મહિલા અને તેના બે બાળકો ઘરે હતા અને પતિ સુતો હતો. દરમિયાન ચાર વર્ષનો દિકરો સિસોટી વગાડીને રમતો હતો જેથી મહિલાએ તેને કહ્યું હતુ કે તારા પપ્પા સુતા છે અને જાગી જશે તો તને મારશે અને તેઓ ગરમ મગજના છે.આ દરમિયાન પતિ ઉઠી ગયો હતો અને પત્નીને કહેવા લાગ્યો હતો કે તુ આપણા દિકરાને મારી વિરુદ્ધ ભડકાવે છે. ત્યારબાદ પતિએ પત્નીને ગડદાપાટુનો માર મારવાનુ શરૂ કર્યુ હતુ. આ સમયે મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના પાડોસીઓ દોડી આવ્યા હતા અને તેને વધુ માર મારવાથી બચાવી હતી. ત્યારબાદ મહિલાનો ભાઈ અને તેની માતા તેને સારવાર માટે એલ જી હોસ્પિટલ લઈ ગયા હતા. આ અંગે મહિલાએ તેના પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

  • Related Posts

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો…

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    પત્ની, તેના પ્રેમી અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો

    પૂર્વના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અકસ્માત થતાં હોવાની ફરિયાદો ઉઠી

    દાણીલીમડામાં નકલી ડોક્ટર બની સારવાર કરતાં પિતા-પુત્રની નકલી હોસ્પિટલ પકડાઈ

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી