ફોન પરત આપતા નાગરિકોએ આભાર માન્યો
નિકોલ પોલીસે છેલ્લા છ મહિના દરમિયાન ગુમ થયેલા કુલ 15 મોબાઈલ ફોન તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ હેઠળ નાગરિકોને પરત આપ્યા હતા. રૂ.3.53 લાખની કિંમતના ફોન પરત આપીને પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્રને સાર્થક કર્યુ છે.
અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિના દરમિયાન અલગ અલગ જગ્યાએથી મોબાઈલ ફોન ગુમ થવાની ઘટનાઓમાં પોલીસે સીઆઈઆર પોર્ટલ ઉપર તપાસ કરી મોબાઈલ ફોનની માહિતી અપલોડ કરીને તપાસ કરતા કુલ 15 મોબાઈલ ફોન કિંમત રૂ. 3.52 લાખના પરત મેળવ્યા હતા. ત્યારબાદ પોલીસે ગુમ થયેલા ફોનના માલિકોને પોલીસ સ્ટેશન બોલાવીને તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફોન પરત આપતા નાગરિકોએ પોલીસની કામગીરી પરત્વે આભારની લાગણી વ્યકત કરી હતી. તેરા તુજ કો અર્પણ કાર્યક્રમને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.