નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ

વટવામાં મયૂરપાર્ક સોસાયટીમાં રહેતા અનવરહુસેન મીરઝા નારોલમાં કેમ્બે ફાર્મ ધરાવીને ખેતીકામ ઉપરાંત ઈંડાની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. ગત મંગળવારે રાતના આઠ વાગે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના ત્યાં નોકરી કરતા મોંહમદ અજમલે તેને ફોન કરીને ફાર્મ પર કેટલાક માણસો આવીને શ્રાવણ માસમાં ઈંડાની લારી કેમ બંધ રાખતા નથી તેમ કહીને ઝઘડો કરતા લોકો ભેગા થઈ ગયા છે. આ જાણીને અનવરહુસેન ત્યાં ગયા હતા.

જયાં ત્રણ માણસો બોલાચાલી કરતા તેમને સમજાવવા જતા તેણે લારી ઉધી કરી ખુરશીઓ અને ટેબલ તોડી નાખ્યા હતા. તેમજ પથ્થર મારતા અકમલ શેખને માથાના ભાગે ઈજા થઈ હતી આ ઉપરાંત લારી પર કામ કરતા કારીગરોને પણ ત્રણ વ્યકિતઓએ માર માર્યો હતો. આ સમયે કારીગરો ડરના માર્યા ખેતરમાં નાસી ગયા હતા.આ મામલે અનવરહુસેને નારોલ પોલીસ સ્ટેશનમાં સરોજકુમાર શુકલા અને તેની સાથેના ત્રણ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    વટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરી

    પરિવાર બહાર હતો, કોઈએ ડબ્બામાંથી દાગીના કાઢી લીધા પોલીસને કોઈ જાણભેદુએ જ ચોરી કરી હોવાની આશંકા વટવા ગામડી રોડ પર રહેતા એક પરિવારને બેડરૂમમાં બેડની અંદર સોનાના દાગીના કિંમત રૂ.…

    ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું

    તૂટી ગયેલાં પગથિયાંનું સમારકામ કરવા લોકોએ ફરિયાદ કરી તો ગેટ બંધ કર્યો ઘાસ હટાવી વહેલી તકે બિસમાર પગથિયાંનું સમારકામ કરવા લોકમાર્ગે શહેરના ઘોડાસર ગામના ખારીકટ કેનાલ પાસે આવેલા તળાવાના ગેટ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ

    વટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરી

    ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું

    ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું

    પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોત

    પ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાં

    મહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર