વટવામાં માતાના ઠપકાથી ઘર છોડી ફરાર સગીરને પોલીસે શોધી કાઢયો

બે કલાક સુધી ભારે જહેમત બાદ સગીરની ભાળ મુળી

વટવા વિસ્તારમાં રહેતા એક પરિવારના એક સગીરને રમવા બાબતે માતા અવારનવાર ઠપકો આપતી હોઈ કંટાળીને સગીર ઘરેથી કોઈને કશું કહ્યા વિના નીકળી ગયો હતો. આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામા આવતા પોલીસે ગંભીરતા પારખીને સગીરને ગણતરીના કલાકોમાં શોધીને પરિવારને સોંપી દીધો હતો.

આ સાથે પોલીસે પરિવારને સંતાનોને પ્રેમપૂર્વક શિખામણ આપવાની ભલામણ કરી મામલો થાળે પાડયો હતો.બનાવની વિગત એવી છે કે, વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક નાગરીક ગુરુવારે ગભરાયેલી હાલતમાં પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી કે તેમના સગીરવયના દિકરાને તેની માતાએ રમવા બાબતે ઠપકો આપતા રિસાઈને તે ઘરેથી કયાંક ચાલ્યો ગયો છે. આ બનાવને ગંભીરતાથી લઈને એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પીઆઈ પી બી ઝાલા અને પીએસઆઈ કુલદીપ પટેલની ટીમે કામગીરી શરૂ કરી હતી.

જેના ભાગરૂપે પોલીસે સગીર ગુમ થયો તેવિસ્તાર તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાનુ શરુ કર્યુ હતુ. બીજી બાજુ પોલીસે સોશીયલ મીડીયામાં સગીરના ગુમ થવા અંગે મેસેજ મુકીને વાયરલ કર્યો હતો. આ સાથે જે તે વિસ્તારના હ્યુમન સોર્સને એકટિવ કરીને સગીરની ભાળ મેળવવા માટે સધન પ્રયાસો હાથ ધર્યા હતા. અંતે બે કલાકની જહેમત બાદ પોલીસને સગીરની ભાળ મળી જતા તેને ગુરુપ્રસાદ ચાર રસ્તા પાસેથી શોધી કાઢ્યો હતો.સગીરનો કબજે માતાપિતાને સોંપતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી