વૃદ્ધ વેપારીને નોટિસ ફટકારી મકાનને પચાવી પાડવાના ફાઈનાન્સરના કારસાને પોલીસે નિષ્ફળ બનાવી દીધો

વટવાના વેપારીએ પુત્રના ધંધા અને બીમાર પત્નીના ઈલાજ માટે ફાઈનાન્સર પાસેથી રૂ.8 લાખ લીધા હતા

શહેરના વટવા વિસ્તારમાં વૃદ્ધ વેપારીએ દિકરાને ધંધા તેમજ બીમાર પત્નીની સારવાર માટે એક ફાઈનાન્સર પાસેથી રૂ. આઠ લાખ મકાન ગીરવે મુકીને લીધા હતા. દરમિયાન પત્નીનુ અવસાન થતા થોડો સમય વ્યાજ ભરવામાં ચુક થતા ફાયનાન્સર દ્વારા મકાન પચાવી પાડવાની દાનતથી નોટીસ આપતા વૃદ્ધના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.આ સંજોગોમાં વૃદ્ધે ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરી મદદ માંગતા પોલીસે ફાયનાન્સરની મકાન પચાવી પાડવાની દાનત પર પાણી ફેરવી દઈ પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્રને સાર્થક કર્યુ હતુ.

વટવા વિસ્તારમાં રહેતા વૃદ્ધ વેપારી ભરતભાઈ પટેલ(ઉ.85) ના પુત્ર મિતેષને ગેરેજના ધંધા માટે તેમજ તેમની બિમાર પત્નીના ઈલાજ માટે રૂપિયાની જરૂર પડતા વસ્ત્રાલમાં ઓફિસ ધરાવતા દાદા ફાયનાન્સ કોર્પોરેશનના અશ્વિન નાનજીભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. જયાં ફાયનાન્સરે ભરતભાઈના મકાનનો વેચાણ કરાર અને ભાડા કરાર કરાવી લઈ આશરે સાડા ચાર લાખ રૂપિયા વ્યાજ લીધું હતુ. થોડા સમય સુધી ભરતભાઈએ વ્યાજ ચુકવ્યુ હતુ.

દરમિયાન તેમની પત્નીનુ અવસાન થતા તેઓ વ્યાજની રકમ ભરી શકયા નહતા. આ સ્થિતિનો લાભ લઈ અશ્વિન પટેલ દ્વારા 50 લાખ રૂપિયા જેટલી માતબર રકમના મકાનનો કબજો લેવા માટે નોટીસ આપી હતી. જે જોઈને ભરતભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ સ્થિતિમાં તેમણે અશ્વિન પટેલને મળીને બાકીના રૂપિયા આપીને મકાનનો વેચાણ કરાર અને ભાડા કરાર રદ કરવા વિનંતી કરતા તમારે જયાં જવુ હોય ત્યાં જાવ કહીને તેમની વાત કાને ધરી નહતી.

ભરતભાઈએ જે ડીવીઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાને મળીને સમગ્ર હકીકત જણાવતા તેમની લેખિત રજુઆત લઈને બનાવ રામોલ વિસ્તારનો હોવા છતાં હદના વિવાદમા પડયા વિના નાગરીકને મદદ કરવાની નિતિ અપનાવી એસીપી જાડેજાએ વટવા પીઆઈ પી બી ઝાલા અને પીએસઆઈ અશ્વિન ગંધા ની ટીમને ફાઈનાન્સર અશ્વિન પટેલને બોલાવી પૂછપરછ કરવા સુચના આપી હતી. આ તરફ પોલીસની દરમિયાનગીરીથી ફાયનાન્સર ઢીલો પડી ગયો હતો અને વૃદ્ધનો વેચાણ તેમજ ભાડા કરાર રદ કરી દેવાની તૈયારી બતાવી હતી. ત્યારબાદ ફાયનાન્સર દ્રારા બાકીના રૂપિયા પરત આપતા અરજદારની દિકરીના નામે વેચાણ કરાર કરી દેવાતા વૃદ્ધ વેપારીએ હાશકારો અનુભવ્યો હતો. આમ પોલીસે એક પરિવારના વડીલોપાર્જીત મકાનને બચાવી પોલીસ પ્રજાની મિત્ર હોવાના સૂત્રને સાર્થક કરી પ્રશંસનીય કામ કર્યું છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી