મહિલાની ફરિયાદ ન નોંધનાર રાણીપના PI ગોહિલ સસ્પેન્ડ

રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈને મહિલાની ફરિયાદ ન નોંધવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાણીપમાં સસ્તા અનાજની દુકાન ધરાવનારી મહિલાને કેટલાક લોકોએ દુકાન તોડી નાખવા માટે ધમકીઓ આપી હતી. રોજબરોજની ધમકીઓથી કંટાળીને મહિલા આ લોકો સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગઈ હતી. તેણે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ બી. ડી. ગોહિલને મળીને રજૂઆત કરી હતી, જે સાંભળીને પીઆઈ ઉશ્કેરાઈ ગયા હતા અને આ બધી ફરિયાદો લઈને આવવાનું નહિ કહીને મહિલાને કાઢી મૂકી હતી. મહિલા બેથી ત્રણ વખત રાણીપ પોલીસ સ્ટેશન ગઈ હતી. પરંતુ તેની રજૂઆત સાંભળવામાં આવી ન હોવાથી અંતે તેણે પોલીસ કમિશનર જી. એસ. મલિકને મળીને સમગ્ર બાબતની રજૂઆત કરી હતી. આથી પોલીસ કમિશનરે આ મામલે રાણીપ પોલીસને ફરિયાદ નોંધાવા આદેશ કર્યો હતો, પણ તેમ છતાં પીઆઈ બી. ડી. ગોહિલે ફરિયાદ નોંધી ન હતી. પોલીસ કમિશનરે બે વખત જાણ કર્યા છતાં પીઆઈ ગોહિલે ફરિયાદ નોંધી ન હોવાથી મંગળવારે પોલીસ કમિશનર જી. એસ. મલિકે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કર્યા હતા.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, કોઈ પણ અરજદાર રજૂઆત કરવા આવે તો તેની રજૂઆત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. જો કોઈ પણ પોલીસ કર્મચારી અરજદાર સાથે અભદ્ર વર્તન કરશે અથવા તો યોગ્ય કાર્યવાહી નહીં કરે તો તેને છોડવામાં આવશે નહીં.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન