ડબ્બા ટ્રેડિંગને જુગારનો કેસ બતાવી તોડ કરનાર પીએસઆઈ પરમાર સસ્પેન્ડ

વડનગરના રેન્જ આઈજીની 15 લાખના તોડ મામલે કાર્યવાહી

વડનગર પોલીસ મથકની ટીમ દ્વારા તાજેતરમાં ઝડપી પાડવામાં આવેલા જુગારના કેસમાં પીએસઆઈ દ્વારા કરવામાં આવેલી ગંભીર ક્ષતિઓ અને વિસંગતતા મામલે જિલ્લા પોલીસવડા તરુણ દુગ્ગલ દ્વારા પીએસઆઈ એસ.એમ. પરમારને બુધવારના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જુગારનો આ કેસ ખરેખર ડબ્બા – ટ્રેડિંગનો કેસ હતો અને તેમાં પોલીસે 15 લાખનો તોડ કર્યો હોવા મામલે વડનગરના અરજદાર દ્વારા રેન્જ આઇજી સમક્ષ થયેલી રજૂઆત બાદ તેમણે સ્થાનિક એલસીબીને સોંપેલી તપાસમાં સમગ્ર કેસ જુગારનો નહીં, પરંતુ ડબ્બા ટ્રેડિંગનો હોવાનું બહાર આવ્યું હતું.

વડનગર સ્માર્ટ પોલીસ મથકની ટીમે ગત 10 જુલાઈના રોજ કહીપુર ખુલ્લી ગામે ગોપાલનગરની જગ્યામાં રેડ પાડી ઠાકોર નાગજી ભલાજી સહિત નવ આરોપીઓને રૂ.13,000ની રોકડ સાથે ઝડપી જુગારનો કેસ નોંધ્યો હતો. જોકે, આ કેસ જુગારનો નહીં.

પરંતુ ડબ્બા ટ્રેડિંગનો હતો અને તેમાં પોલીસે રૂ.15 લાખનો તોડ કર્યો હોવાની રજૂઆત બીજા દિવસે આઈજી વિરેન્દ્ર યાદવ સમક્ષ થતાં તેમણે મહેસાણા એલસીબી પીઆઈ એન.આર. વાઘેલાને તપાસ સોંપી હતી. બીજી તરફ, રેન્જ આઈજી સમક્ષ થયેલી રજૂઆતમાં પણ વાસ્તવમાં આ કેસ જુગારનો નહીં. પરંતુ ડબ્બા ટ્રેડિંગનો હોવાનું અને પોલીસે રૂ. 15 લાખનો તોડ કર્યો હોવાનું બહાર આવતાં તેમણે આ અંગે જિલ્લા પોલીસવડાને કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 7 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન