અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

અનાજ લેવા દુકાને જતાં કાર્ડધારકોને આખરે તો નિરાશા મળે છે

શહેરના શાહીબાગ ઘોડા કેમ્ય પાસેના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનોથી રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચાડવાની વ્યવસ્થા પડી ભાંગી છે. માર્ચ માસના 10 દિવસ વીતી ગયા પણ અનાજનો જથ્થો મળ્યો નથી. જેના લીધે હજારો રેશનકાર્ડ ધારકો અનાજનો જથ્થો લેવા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે.

શાહીબાગ સ્થિત સરકારી અનાજના ગોડાઉનમાં શહેરનીઝોનલ કચેરીનું વિસ્તૃતિકરણને લઈને અનાજનો પુરવઠો રેશનિંગની દુકાનોમાં પહોચાડવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. કોન્ટ્રાકટરોને આપેલી સુચનામાં ક્યાંકને કયાંક ગેરસમજ અને ટેકનિકલ ખામીઓના લીધે અનાજ વિતરણની કામગીરી મંથરગતિમાં ચાલી રહી છે. એટલે ગણતરીની રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચ્યો છે. જ્યારે હજુ માર્ચ મહિનાના 10 જેટલો સમય વીતી ગયો પરંતુ પુરવઠા વિભાગ દ્વારા દરમાસે અપાતુ કમિશન એક પણ દુકાનદારને મળ્યું નથી.

બીજી બાજુ રેશન સંચાલકોને ભરવાના છે ચલણોમાં સરભરની હજારોની રકમ પહેલાથી જ કાપી લેવાઈ છે. આ સરભરની રકમો શેની છે તેનું તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાતી નથી. ઉપરાંત પરમિટ કે ચલણોમાં પણ તેનો કોઈ ફોડ પડાતો નથી. આમ ૫ ટેક્નિકલ ખામી કહો કે તંત્રની ઢીલી પ નીતી કહો પણ માર્ચ માસના 10 દિવસ પછી પણ અનાજનો જથ્થો રેશનિંગની દુકાનોમાં પહોચ્યો ન હોવાથી રેશનકાર્ડ ધારકો અનાજ લેવા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન