અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

અનાજ લેવા દુકાને જતાં કાર્ડધારકોને આખરે તો નિરાશા મળે છે

શહેરના શાહીબાગ ઘોડા કેમ્ય પાસેના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનોથી રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચાડવાની વ્યવસ્થા પડી ભાંગી છે. માર્ચ માસના 10 દિવસ વીતી ગયા પણ અનાજનો જથ્થો મળ્યો નથી. જેના લીધે હજારો રેશનકાર્ડ ધારકો અનાજનો જથ્થો લેવા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે.

શાહીબાગ સ્થિત સરકારી અનાજના ગોડાઉનમાં શહેરનીઝોનલ કચેરીનું વિસ્તૃતિકરણને લઈને અનાજનો પુરવઠો રેશનિંગની દુકાનોમાં પહોચાડવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. કોન્ટ્રાકટરોને આપેલી સુચનામાં ક્યાંકને કયાંક ગેરસમજ અને ટેકનિકલ ખામીઓના લીધે અનાજ વિતરણની કામગીરી મંથરગતિમાં ચાલી રહી છે. એટલે ગણતરીની રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચ્યો છે. જ્યારે હજુ માર્ચ મહિનાના 10 જેટલો સમય વીતી ગયો પરંતુ પુરવઠા વિભાગ દ્વારા દરમાસે અપાતુ કમિશન એક પણ દુકાનદારને મળ્યું નથી.

બીજી બાજુ રેશન સંચાલકોને ભરવાના છે ચલણોમાં સરભરની હજારોની રકમ પહેલાથી જ કાપી લેવાઈ છે. આ સરભરની રકમો શેની છે તેનું તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાતી નથી. ઉપરાંત પરમિટ કે ચલણોમાં પણ તેનો કોઈ ફોડ પડાતો નથી. આમ ૫ ટેક્નિકલ ખામી કહો કે તંત્રની ઢીલી પ નીતી કહો પણ માર્ચ માસના 10 દિવસ પછી પણ અનાજનો જથ્થો રેશનિંગની દુકાનોમાં પહોચ્યો ન હોવાથી રેશનકાર્ડ ધારકો અનાજ લેવા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી