હાઉસિંગ બોર્ડે નહીં રહીશોએ બિલ્ડર નક્કી કરવા જોઈએ

રીડેવલપમેન્ટ મુદ્દે 10 સોસાયટી હાઈકોર્ટમાં

હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલોપમેન્ટ સામે અનેક સોસાયટીના રહીશોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. રહીશોની રજૂઆત છે કે બોર્ડે તેમને વિશ્વાસમાં લીધા વગર બિલ્ડર નક્કી કર્યા છે અને પોતાની રીતે પ્લાન બનાવીને અમારી મંજૂરી માગી છે. અન્ય ખાનગી સોસાયટીની જેમ પોતાના મકાનના રીડેવલોપમેન્ટ માટે તેઓ જાતે બિલ્ડર નક્કી કરી શકે છે જ્યારે બોર્ડ તરફથી રજૂઆત કરાઈ હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડે તેમને 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી તેથી જમીનના માલિક તેઓ પોતે છે. અમદાવાદ સહિત જામનગર અને ભાવનગર બોર્ડની સોસાયટીના રહીશોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. અમદાવાદની આશરે 10 સોસાયટીએ કરેલી અરજીમાં રી ડેવલોપમેન્ટ કરવાનો વિરોધ કરાયો છે. કેટલીક સોસાયટીના પ્રમુખોએ પુરાવા રજૂ કર્યા છે.

99 વર્ષ નથી થયાં છતાં બોર્ડ દખલ કરે છે

રહીશોએ રજૂઆત કરાઈ હતી કે બોર્ડે અમને 99 વર્ષે ભાડાપટ્ટે જમીન આપી હોય તો હજુ 99 વર્ષ થયાં નથી. 99 વર્ષ પૂરાં થયા પહેલાં તેઓ દરમ્યાનગીરી ન કરી શકે. હાઈકોર્ટમાં અગાઉ થયેલી અરજીમાં રહીશોની રીડેવલોપમેન્ટ સામેની અરજી ફગાવી દીધી હતી.

  • Related Posts

    નારોલમાં લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ

    પાણી ભરાતા બાળકોને શાળાએ જવામાં હાલાકી શહેરના નારોલના રંગોલીનગર પાસે પાણીની લાઈનમાં જ ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ઉપરાંત ખરાબ રોડમાં પાણી ભરાયેલા હોવાથી શાળાએ જતાં…

    સ્કૂલો, આંગણવાડી, હોસ્પિટલ સહિત તમામ સરકારી બિલ્ડિંગનાં બાંધકામની તપાસ કરાશે

    અમદાવાદના પ્રભારી અગ્ર સચિવ મુકેશકુમારે અધિકારીઓને સૂચના આપી ઓબ્ઝર્વેશન બાદ બિલ્ડિંગ નબળી દેખાશે તો સ્ટ્રક્ચર સ્ટેબેલિટી રિપોર્ટ કરાવવામાં આવશે ગંભીરા બ્રિજની ઘટના બાદ અમદાવાદની તમામ સરકારી સ્કૂલો, હોસ્પિટલ, પીએચસી, સીએચસી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    બોપલના શેરદલાલે પોલીસ બનીને 26 લાખ લૂંટ્યા હતા

    ફતેવાડીમાં 500ના દરની નકલી નોટ વટાવવા આવેલી મહિલા પકડાઈ ગઈ

    હાઉસિંગ બોર્ડે નહીં રહીશોએ બિલ્ડર નક્કી કરવા જોઈએ

    નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ

    વટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરી

    ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું

    ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું