ગેરકાયદે બાંધકામ માટે 4 લાખ લેનારા અધિકારી-કોર્પોરેટર સામે પગલાં ભરો

જશોદાનગરની ઘટનામાં મૃતકના પરિવારને વળતર આપવા કોંગ્રેસની માગ

રૂ. 10 લાખની માંગણી ન સંતોષાતા જશોદાનગરમાં દુકાન તોડવા મામલે મહિલાએ કરેલા આત્મવિલોપન બાદ મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે મેયરને આપેલા આવેદનપત્રમાં 4 લાખ જેટલી માતબર રકમ તોડ પેટે લેનાર અધિકારીઓ કે પછી ભાજપના કોર્પોરેટર સામે પગલા લેવા તેમજ મૃતકના પરિવારને રૂ. 10 લાખ વળતર પેટે ચૂકવવા માટે માગ કરી છે.

જશોદાનગરમાં જયશ્રી કોમ્પ્લેક્સમાં 14 ઓગસ્ટે એસ્ટેટ ખાતાએ હાથ ધરેલી ડિમોલેશનની કામગીરીમાં દુકાનમાલિક નર્મદાબેને કરેલા આત્મવિલોપન મામલે વિપક્ષી શહેજાદખાન પઠાણે રેલી યોજી જવાબદારો સામે પગલા લેવા મ્યુનિ. સમક્ષ માગ કરી હતી. તેમણે રજૂઆત કરી કે, ૩ દિવસની સારવાર બાદ નર્મદાબેન મૃત્યુ પામ્યા છે. એસ્ટેટ વિભાગે માલિકો પાસેથી રૂ. 10 લાખની રકમ લઇ ગયેલા હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનો કરી રહ્યા છે. આ રકમ લીધા બાદ પણ ડિમોલેશન કરવા માટે ટીમ આવી હતી.મ્યુનિ.એ તમામ હદ વટાવી હવે હત્યારાની ભૂમિકા ભજવી છે. જ્યારે આ મામલે એવા પણ આક્ષેપ થઇ રહ્યા છેકે, પરિવારજનોએ અગાઉ જ્યારે દુકાન તોડવા માટે તંત્રની ટીમ આવવાની હતી ત્યારે એક કોર્પોરેટર સાથે રૂ. 4 લાખમાં આ કામગીરી અટકાવી હતી.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 8 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન