ઓઢવ સોનીની ચાલી પાસે પખવાડિયાથી પડેલા ભૂવાનું સમારકામ કરવાનું તંત્રને મુહૂર્ત મળતું નથી

સમારકામ કરવામા તંત્રને કોઈ રસ નથી, વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે

મ્યુનિ કાર્યક્રમોમાં રાતોરાત રોડ બનાવતાં તંત્રને ભૂવાનું સમારકામ કરવાનો સમય કયારે મળશે

શહેરના ઓઢવ સોનીની ચાલી પાસે ભૂવો પડ્યાને એક પખવાડિયા જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં તેનું સમારકામ કરવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા દાખવતું હોવાના લીધે વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે મ્યુનિ.માં રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી. ત્યારે મ્યુનિ.ના કાર્યક્રમ માટે રાતોરાત રોડ બનાવતા તંત્રને ભૂવાનું સમારકામ કરવાનો સમય કેમ મળતો નથી? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઓઢવ સોનીની ચાલી ઓવરબ્રિજ નીચે અજીતમિલ રખિયાલ તરફ જતાં રોડપરંપખવાડિયાથી પડેલા ભુવાને પગલે વળાંક લેવામાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આખો દિવસ અને રાતે ટ્રાફિકથી વ્યસ્ત રહેતા માર્ગ પર એએમસીએ ભૂવાનું કોઈ સમારકામ કર્યું ન હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. ઉપરાંત બ્રિજ નીચેના રસ્તા પરના રોડમાં ગાબડા પડેલા હોવાથી વાહનચાલકો હેરાન થઈ ગયા છે.

ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો ઉબડખાબડ રોડના લીધે બેલેન્સ ગુમાવી દેતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેના લીધે ઘણીવાર ટુ-વ્હીલરચાલકો પટકાતા હોવાની ફરિયાદો ઊઠવા લાગી છે. વસ્ત્રાલથી ઓઢવ સોનીની ચાલી પાસેના કોમ્પલેક્ષમાં ધંધો કરતા અને રોજ અપડાઉન કરતાં વેપારી લલિત જૈને આ ભૂવાની સમસ્યા અંગે મ્યુનિ કોર્પોરેશનમાં ફરિયાદો કરતાં તંત્ર દ્વારા ખાસ કોઈ કામગીરી કરાતી નથી. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. સમસ્યાના નિકાલ માટે કામગીરી કરવા લોકો માંગણી કરી રહ્યા છે.

સમારકામ પણ ટલ્લે વટવામાં એક વર્ષથી રોડનું

શહેરના વટવાના અમન પ્લાઝા પાસેના મુખ્ય રોડ પર ગટરલાઈનની કામગીરી પૂર્ણ કર્યા બાદ રોડનું સમારકામ કરવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. જેના કારણે એક વર્ષથી બિસમાર રોડના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. છતાં તંત્ર સમારકામ કરવાનું નામ લેતું નથી. એટલે ભૂવો હોય કે બિસમાર રોડ તંત્રને સમારકામ કરવામાં કોઈ રસ નથી. જેના કારણે દરરોજ નાનામોટા અકસ્માતો થાય છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 8 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન