એસજી હાઈવે, નવા વાડજ સહિતના વિસ્તારમાં રઝળતાં ઢોરનો ત્રાસ ફરી શરૂ

મ્યુનિ. કમિશનરે ઢોર ત્રાસ અંકુશ વિભાગને કડક કાર્યવાહી કરવા કહ્યું

CCTVમાં ઝડપાયેલાં ઢોરની સ્થળ તપાસ કરી લાઈસન્સ રદ કરાશે

હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એ રસ્તે રઝળતાં ઢોરનો ત્રાસ દૂર કરવા માટે ઢોર પોલિસી અમલમાં મૂકી હતી. જો કે થોડો સમય માટે શહેરમાંથી ઢોરનો ત્રાસ ઓછો થયો હતો. પરંતુ હવે ફરીથી એસજી હાઈવે, નવા વાડજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં રસ્તે રઝળતાં ઢોર જોવા મળી રહ્યા છે. મ્યુનિ કમિશનરે ઢોર ત્રાસ અંકુશ વિભાગના અધિકારીઓને કડક કાર્યવાહી કરવા કહ્યું છે.

મોટેરા ગામ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નવા વાડજ, ચાંદખેડા આઈઓસી રોડ, માનસરોવર રોડ, સ્નેહ પ્લાઝા રોડ, ડી-કેબિન, નરોડા, નિકોલ, વિરાટનગર, ઘાટલોડિયા, એસજી હાઈવે, જનતાનગર, બલોલનગર, વિજયનગર ક્રોસ રોડ, સૈજપુર બોઘા સહિતના વિસ્તારોમાં ફરીથી રખડતાં ઢોર જોવા મળી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે. તેના આધારે જે પણ જગ્યાએ રખડતાં ઢોર દેખાય તો સીએનસીડી વિભાગે કાર્યવાહી કરવાની રહેશે.

કામગીરીના ફોટો-વીડિયો અપલોડ કરવા સૂચના અપાઈ

મ્યુનિ. કમિશનરે સીએનસીડી વિભાગના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓએ શિફ્ટ પ્રમાણે ફરજિયાત ઓનલાઇન હાજરી પૂરવાની રહેશે. સાથે જ મ્યુનિ.ની એપ્લિકેશનમાં ફોટા અને વીડિયો પણ અપલોડ કરવાના રહેશે. ઢોર પકડવા જતી વખતે ફરજિયાત કેમેરાનો ઉપયોગ કરવાનો રહેશે અને તેની ફીડ બીજા દિવસે જમા કરાવવાની રહેશે.

  • Related Posts

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    5 કે વધુ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા હતા અમદાવાદ એક બાજુ ‘ક્રાઈમ કેપિટલ’ બની રહ્યું છે અને પોલીસની છબી ખરડાઈ રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનરે 5 કે…

    આ રહી એન્ટિ ઈન્કમ્બન્સી, અમદાવાદમાં લોકોએ ભાજપના નેતાઓને કહ્યું, હવે મત માગવા આવજો

    વર્ષોથી સુવિધાના કામ ન થતાં દસક્રોઇના 4 ટર્મ MLAની હાજરીમાં નાગરિકોનો રોષ ફાટ્યો ભાજપના કાર્યકરોએ લોકોનો અવાજ દબાવવા ‘ભારત માતા કી જય’ પોકારી દેકારો મચાવ્યો અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીને હવે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 7 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન