વટવામાં લારી લગાવવા રૂપિયા માગી વેપારીને ત્રણ શખ્સોએ દંડાથી ફટકાર્યા

ઝઘડામાં મધ્યસ્થી થયેલા એક યુવક ઉપર પણ દંડાથી ફરી વળ્યા

વટવામાં ગજાનંદ સોસાયટીમાં રહેતા સતેન્દ્રકુમાર સૂર્યદેવ સિંહ મહાલક્ષ્મી તળાવ ચાર રસ્તા પાસે લારી લગાવીને વેપાર કરે છે. તેમની બાજુમાં અરૂણ શ્રીરામદયાલ પણ શાકભાજીની લારી લગાવે છે અને આશાપુરી રેસીડેન્સી સામે અભયસિંહ ટુનટુનસિંહ પણ શાકભાજીની લારી લગાવે છે. શનિવારે અભયસિંહે સતેન્દ્રની પાસે આવીને તેને કહ્યું હતુ કે તમારે અહીં લારી લગાવવાની નથી અને જો લારી લગાવવી હોય તો લારી રાખવાના મને પૈસા આપવા પડશે. જેથી સતેન્દ્રસિંહે પૈસા આપવાનીના પાડતા લારી લગાવતો નહી કહીને જતો રહ્યો હતો.

દરમિયાન રવિવારે સવારે સતેન્દ્રસિંહે ફુટની લારી લગાવી હતી. આ સમયે અભયસિંહ અને તેના માણસો રીક્ષામાં આવ્યા હતા અને અભયસિંહે કહેવા લાગ્યો હતો કે તને ના પાડી હતી છતાં કેમ તે રોડ પર લારી લગાવી છે. ત્યારબાદ ગાળો બોલીને દંડાથી સતેન્દ્રસિંહને મારવા લાગ્યા હતા. માથામાં દંડો લાગતા લોહી નીકળવા લાગતા બાજુમાં લારી લગાવતા અરૂણે અભયસિંહને ઝઘડો નહી કરવાનુ કહેતા અભયસિંહ અને તેની સાથે આવેલા બે માણસો હાથમાં લાકડાનાં દંડા લઈ સતેન્દ્ર અને અરૂણને દંડાથી મારવા લાગ્યા હતા.

જેમાં અરૂણને પણ ઈજા થઈ હતી. દરમિયાન બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવતા ત્રણે નાસી છુટયા હતા.ત્યારબાદ સતેન્દ્ર અને અરૂણને એલજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સતેનદ્રએ વટવા પોલીસ સમક્ષ અભયસિંહ અને તેની સાથે આવેલા અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન