દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી

દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી કરવા જઇ રહ્યા હતાં. એ વખતે દિલ્હી દરવાજા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ ટક્કર મારતા ગંભીર ઈજાના કારણે તેમનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે મોત નીપજતાં સફાઇ કર્મીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો. અને સફાઈકર્મીઓ રવિવારે કામકાજ થી અળગા રહ્યા હતાં. આ બનાવ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને નિકોલમાં રહેતા 25 વર્ષીય શંશાક રાઈની ધરપકડ કરી હતી.

દરિયાપુર વાલ્મિકી વાસમાં રહેતી 25 વર્ષીય નિકિતા ચૌહાણે કારચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.ડી.પટેલે જણાવ્યું હતું કે, દરિયાપુર વાલ્મિકી વાસમાં રહેતા 49 વર્ષીય ડાહીબેન ચૌહાણ તેમના નિત્યક્રમ મુજબ માધવપુરામાં મસ્ટરમાં હાજરી ભરવા તેમના ઘરેથી વહેલી સવારે નિકળ્યા હતાં. અને તેઓ ચાલતા-ચાલતા આનંદ ભુવન પાસે બી.આર.ટી.એસ. ક્રોસ કરીને જતા હતાં. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલ આઈ-20ના કાર ચાલકે ડાહીબેનને ટક્કર અડફેટે લેતા તેમને મોઢા અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે બી.આર.ટી.એસ.ની રેલિંગ સાથે કાર અથડાતા કારચાલક કાર મુકીને ભાગી ગયો હતો.

ગંભીર રીતે ઈજા પામેલા ડાહીબેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતાં. અને તેમનું સારવાર દરમિયાન રવિવારે મોત નિપજયું હતું. જે અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અને નિકોલમાં આવેલ કૈલાશ સોસાયટીના 70 નંબરના મકાનમાં રહેતા 25 વર્ષીય શંશાક રાઈની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કાર ચાલક પ્રહલાદનગર પાસે આવેલ એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. અને શુક્રવારે ઓફિસમાં નાઇટની નોકરી કરીને પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

  • Related Posts

    રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી

    શહેરના રાયપુર ચકલા ખાતે આવેલા આકાશેઠકુવાની પોળ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી પાણી આવતા નથી. જેના કારણે લોકોએ મ્યુનિ.માં સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાતા તંત્રે પાણીની સમસ્યાના ઉકેલના બદલે માત્ર ટેન્કર મોકલીને…

    પૂર્વમાં દોઢ મહિનામાં જ વરસાદના લીધે બિસમાર રોડ અને ભૂવા પડવાની 5 હજારથી વધારે ફરિયાદો

    વરસાદમાં રસ્તા તુટી જવાના કે ભૂવા પડવાની સમસ્યા હોવાથી વાહનચાલકોને ભારે હેરાનગતિ સૌથી વધુ મધ્ય ઝોનમાં 1138 રસ્તા બિસમાર, શહેરના પડેલા ભૂવામાંથી 60 ટકા તો પૂર્વમાં જ શહેરના સામાન્ય વરસાદમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી

    રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી

    પૂર્વમાં દોઢ મહિનામાં જ વરસાદના લીધે બિસમાર રોડ અને ભૂવા પડવાની 5 હજારથી વધારે ફરિયાદો

    સાબરકાંઠા: પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી આગણવાડીની ટી.એચ.આર.ની બેગો ભરેલું પીકઅપ ડાલુ પકડાયું

    સાબરકાંઠા: પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી આગણવાડીની ટી.એચ.આર.ની બેગો ભરેલું પીકઅપ ડાલુ પકડાયું

    સ્કૂલો, આંગણવાડી, હોસ્પિટલ સહિત તમામ સરકારી બિલ્ડિંગનાં બાંધકામની તપાસ કરાશે

    એસજી હાઈવે, નવા વાડજ સહિતના વિસ્તારમાં રઝળતાં ઢોરનો ત્રાસ ફરી શરૂ

    વટવામાં દુકાનમાં કામ કરતા સગીરનું કરંટ લાગતા મોત