વટવા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા એક આધેડ દાઝી ગયા હતા જેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.
ધંધુકા નવાપરામાં રહેતા નિતિનભાઈ પનારા(ઉ 55) ગત તા બીજી મે ના રોજ બપોરના અઢી વાગે વટવા જીઆઈડીસી ફેઝ-4 જયહિંદ કેમિકલ કંપનીમાં કામ કરતા હતા.
આ સમયે કોઈક કારણોસર કંપનીમાં આગ લાગતા નિતિનભાઈ દાઝી ગયા હતા જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં બુધવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજયુ હતુ.