નારોલમાં ઠપકાની અદાવતમાં સશસ્ત્ર હુમલો, એકનુ મોત, બે લોકો ઈજાગ્રસ્ત

પોલીસે 4 સામે ગુનો દાખલ કરી 3ની ધરપકડ કરી

મૂળ બિહારના અને નારોલમાં રાધે હોમ્સમાં રહેતા શુભકુમાર ભૂમિહાર અસલાલીમાં ક્રેન ધરાવીને વેપાર કરે છે. તેમના નીચેના મકાનમાં તેમના કાકા નિરજકુમાર શ્યામસુંદર પરિહાર પરિવાર સાથે રહે છે.

ગત રવિવારે સાંજના શુભકુમાર ઘરે હાજર હતા ત્યારે આશરે નવ વાગે ઘર નીચે બૂમાબૂમ થતા તેઓ નીચે જતા તેમના કાકા નિરદકુમાર પણ બહાર આવ્યા હતા. આ સમયે તેમના કાકાના દિકરા સત્યમ સાથે વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપૂત સાહીલ યાદવ અને બિપીન ઉર્ફ સત્યવાન યાદવ ઝઘડો કરીને તેને માર મારતા હતા.

આ સમયે સત્યમને અભિષેકે છરી મારતા જમણા પડખાના ભાગે ઈજા થઈ હતી.આ સમયે નિરજકુમાર છોડાવવા વચ્ચે પડતા બિપીને તેમને પાઈપનો ફટકો માર્યો હતો. દરિમાયન સાહીલે છરી ઉગામતા શુભમકુમારને બંને હાથે કલાઈના ભાગે, ગળાના ભાગે ઈજા થઈ હતી.

દરમિયાન તેઓ ખસી જતા તેમના કાકા નિરજકુમારને બબલુ યાદવ છરી મારી દીધી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે નિરજકુમારને મૃત જાહેર કર્યા હતા.

આ મામલે નારોલ પોલીસે વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપુત, સાહીલ યાદવ અને બિપીન ઉર્ફે સત્યવાન યાદવ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ મામલે નારોલ ઇન્સપેક્ટર પી. સી. દેસાઈએ જણાવ્યુ કે ઈજાગ્રસ્ત સત્યમની બહેનને આદિત્ય નામના યુવક સાથે વાતચીત થતી હોવાની શંકાના આધારે ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં ચાર લોકોએ હથિયારથી હુમલો કરીને એકનું મોત નિપજાવ્યુ હતું. આ મામલે પોલીસે વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપુત, સાહીલ યાદવની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન