બહેરામપુરાના વૃદ્ધને ડીજીટલ અરેસ્ટ કરીને ગઠિયાએ 3 લાખ પડાવી લીધા

તમે આતંકવાદી સાથે જોડાયેલા છો કહીને રૂપિયા માંગ્યા હતા

નકલી પોલીસ કે સીબીઆઈ ઓફિસર બનીને વીડીયો કોલ કરી ડીજીટલ અરેસ્ટ કરનારા સામે સરકારે કોલર ટયુન મુકીને નાગરીકોને સાવધ રહેવા માટે કમર કસી છે. બીજી તરફ સાયબર માફીયાઓ હજુ પણ આ જ પેટર્નથી નાગરીકોને ભોગ બનાવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં મણિનગરમાં રહેતા વૃદ્ધને ડીજીટલ અરેસ્ટ કરીને મુંબઈ પોલીસના નામે સાયબર ગઠીયાએ રૂ. ત્રણ લાખ પડાવી લીધા હતા. આ અંગે વૃદ્ધે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બહેરામપુરામાં ગ્રીનક્રોસ સોસાયટીમાં રહેતા નટવરભાઈ મંગળદાસ કિશ્ચિયન (ઉ.73) એલઆઈસીમાં કર્લાક તરીકે ફરજ બજાવી નિવૃત થયા છે. બન્યુ એવુ કે ગત તા 26 જુનના રોજ સવારના 11 વાગે નટવરભાઈના ફોન પર અજાણ્યા નંબરથી વીડીયો કોલ આવ્યો હતો જેમાં સામે છેડેથી હું મુંબઈ પોલીસ વાત કરુ છુ કહીને તેમને ધમકી આપી હતી કે તમે આતંકવાદી સાથે જોડાયેલા છો તમારુ આધારકાર્ડ કેરલ તમિલનાડુ કર્ણાટક રાજયમાં વપરાયુ છે. મુંબઈથી પોલીસ તમને પકડવા માટે આવે છે અને પોલીસ તમને પકડવા ન આવે તે માટે તમારે રૂ. 3 લાખ આપવા પડશે. આ સાંભળીને વૃદ્ધ ગભરાઈ ગયા હતા અને પૈસા ભરવાની હા પાડી દીધી હતી.

ત્યારબાદ વૃદ્ધ તે જ દિવસે બેંકમાં ગયા હતા જયાં અજાણ્યા મોબાઈલનંબરથી ફરી વીડીયો કોલ આવ્યો હતો અને કહ્યુ હતુ કે હું તમને જે ફોર્મ ભરવાનુ કહું તે ફોર્મ ભરવાનુ છે તેમ કહીને આરટીજીએસ નુ ફોર્મ ભરાવ્યુ હતુ. ત્યારબાદ વૃદ્ધે ફોર્મ ભરીને સહી કરતા તેમના ખાતામાંથી રૂ. 3 લાખ ડેબીટ થઈ ગયા હતા.

બીજા દિવસે ફરી સાયબર ગઠીયાનો ફોન આવ્યો હતો અને વીડીયો કોલમાં તેમની પાસે બીજા સાત લાખ માંગ્યા હતા. જો કે તેમણે તેમની પાસે આટલા રૂપિયા નહોવાનુ કહી પૈસા આપવાની ના પાડી દીધી હતી.આ અંગે તેમણે એક મિત્રને જાણ કરતા મિત્રએ તેમને ડીજીટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવી લીધાની જાણ કરી હવે પૈસા નહી આપવાની સલાહ આપી પોલીસને જાણ કરવાનુ કહ્યુ હતુ. અંતે વૃદ્ધે સાયબર હેલ્પલાઈન 1930માં ફોન કરીને જાણ કરી હતી. અંતે આ મામલે કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન