નિકોલના તળાવમાં ગટરના પાણી નહીં છોડવાનો આદેશ છતાં તંત્ર સુધરતું નથી

માનવ અધિકાર આયોગે જુલાઈથી આદેશ કર્યો છતાં પાણી છોડવાની ફરિયાદ

તળાવમાં તાત્કાલિક ગંદુ પાણી છોડવાનું બંધ કરવા મ્યુનિ. સત્તાધીશોને રજૂઆત

શહેરના નિકોલના તળાવમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા ગટરના પાણી છોડીને તળાવને પ્રદૂષિત કરાતું હતું. આ મામલે માનવ અધિકાર આયોગ સમક્ષ પહોચ્યો હતો. જેમાં માનવ અધિકાર આયોગે ગત જુલાઈ માસમાં મ્યુનિ અધિકારીઓને તળાવમાં ગટરનું પાણી છોડવાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આદેશ આપ્યાના થોડા દિવસો બાદ ફરીથી ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે. ત્યારે આયોગના દ્વાર ખટખટાવનારા અરજદારે હવે મ્યુનિ અધિકારીને તળાવમાં ઠલવાતું ગટરનું પાણી તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરી છે.

અમદાવાદ ડેવલપમેન્ટ એન્ડ સિટીઝન્સ વેલ્ફેર ગ્રુપના ચેરમેન સંતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે, નિકોલના તળાવમાં છેલ્લા ઘણા સમયથી મ્યુનિ કોર્પોરેશન ગટરના પાણી છોડીને તળાવને પ્રદૂષિત કરતા હતા. આ મામલે વારંવાર રજૂઆત છતાં કોઈ અસર થતી ન હતી. આખરે અમે માનવ અધિકાર આયોગ અરજી કરી હતી. જેના પગલે ગત તા.14 જુલાઈના રોજ આયોગે મ્યુનિ કમિશનર સહિત સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપી હતી કે, તળાવમાં ગટરનું પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે. તેમ છતાં આયોગના આદેશનો અમલ થયો નથી.

હજુ પણ ગટરના પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યા છે. જેના કારણે પૂર્વ ઝોનના અધિકારીઓને અમે રજૂઆત કરી છે કે, તળાવમાં ગટરનું પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે. આયોગના આદેશના પાલનનું નિષ્ફળ રહ્યા તેવા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં આવી બેદરકારી ના બને તે માટે પર્યાપ્ત મિકેનિઝન ઊભું કરવામાં આવે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન