નારોલમાં બે ઈસમોએ યુવકને ગાળ આપવા મામલે છરી મારી

બૂમાબૂમ થતાં લોકોએ હુમલાખોરોને પકડી લીધા

નારોલમાં સ્ટીલ કંપનીમાં નોકરી કરતો યુવક ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે બે વ્યકિતઓએ આવીને તે મને ગાળ કેમ આપી તેમ કહીને છરીથી હુમલો કરતા યુવકને પીઠાના ભાગે તેમજ હાથે ઈજા થઈ હતી. જો કે યુવકે હુમલો કરનારા બંને યુવકોને ઝડપીને પોલીસને સોંપી દીધા હતા. મુળ ઝારખંડના રીઝવાન સમસુદ્દીન અન્સારી(ઉ.32)હાલમાં એક વર્ષથી કમોડ ગામમાં બહેન બનેવી સાથે રહે છે અને સ્ટીલના કારખાનામાં હેલ્પર તરીકે નોકરી કરે છે.

ગત તા 4 ના રોજ રાતના સવા દસ વાગે નોકરી પરથી છુટીને એકલો ચાલતો ઘર તરફ આવી રહ્યો હતો. આ સમયે કર્ણાવતી રેસ્ટોરન્ટ પાસે પહોચતા સામેથી ચાલતા આવતા બે ઈસમો પૈકી એકે તે મને ગાળ કેમ આપી તેમ કહીને ઝઘડો કર્યો હતો. જેમાં એક ઈસમે રીઝવાનને પકડી રાખ્યો હતો જયારે બીજાએ પોતાની પાસેનો છરો કાઢી હુમલો કરતા રીઝવાન પોતાનો હાથ આડો કરતા તેને ડાબા હાથે ઈજા થઈ હતી.જયારે બીજો ઘા કરતા તેને પીઠના ભાગે ઈજા થઈ હતી.આ સમયે તેણે બૂમાબૂમ કરતા કંપનીના માણસો ભેગા થઈ ગયા હતા અને હુમલો કરનારા બંનેને પકડી લીધા હતા. આ અંગે પોલીસને જાણ કરતા નારોલ પોલીસે હુમલો કરનારા પરેશ લાલજીભાઈ તડવી અને આદિત્ય શંકરલાલ સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી રીઝવાનને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

  • Related Posts

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો…

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    ભોપાલમાં એઈમ્સમાં નર્સીગં ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી રેલવે વિભાગની નર્સીગંની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતી તેની બહેનપણી સહિત ત્રણ વ્યકિત ભૂખ લાગતા નાસ્તો કરવા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

    તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

    બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો