અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

અનાજ લેવા દુકાને જતાં કાર્ડધારકોને આખરે તો નિરાશા મળે છે

શહેરના શાહીબાગ ઘોડા કેમ્ય પાસેના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનોથી રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચાડવાની વ્યવસ્થા પડી ભાંગી છે. માર્ચ માસના 10 દિવસ વીતી ગયા પણ અનાજનો જથ્થો મળ્યો નથી. જેના લીધે હજારો રેશનકાર્ડ ધારકો અનાજનો જથ્થો લેવા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે.

શાહીબાગ સ્થિત સરકારી અનાજના ગોડાઉનમાં શહેરનીઝોનલ કચેરીનું વિસ્તૃતિકરણને લઈને અનાજનો પુરવઠો રેશનિંગની દુકાનોમાં પહોચાડવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. કોન્ટ્રાકટરોને આપેલી સુચનામાં ક્યાંકને કયાંક ગેરસમજ અને ટેકનિકલ ખામીઓના લીધે અનાજ વિતરણની કામગીરી મંથરગતિમાં ચાલી રહી છે. એટલે ગણતરીની રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચ્યો છે. જ્યારે હજુ માર્ચ મહિનાના 10 જેટલો સમય વીતી ગયો પરંતુ પુરવઠા વિભાગ દ્વારા દરમાસે અપાતુ કમિશન એક પણ દુકાનદારને મળ્યું નથી.

બીજી બાજુ રેશન સંચાલકોને ભરવાના છે ચલણોમાં સરભરની હજારોની રકમ પહેલાથી જ કાપી લેવાઈ છે. આ સરભરની રકમો શેની છે તેનું તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાતી નથી. ઉપરાંત પરમિટ કે ચલણોમાં પણ તેનો કોઈ ફોડ પડાતો નથી. આમ ૫ ટેક્નિકલ ખામી કહો કે તંત્રની ઢીલી પ નીતી કહો પણ માર્ચ માસના 10 દિવસ પછી પણ અનાજનો જથ્થો રેશનિંગની દુકાનોમાં પહોચ્યો ન હોવાથી રેશનકાર્ડ ધારકો અનાજ લેવા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે.

  • Related Posts

    દારૂનો ધંધો બંધ કરવાનું કહેતા જમાઈએ સાસુને તલવાર મારી

    વટવા પોલીસમાં જમાઇ સામે સાસુની ફરિયાદ શહેરના નવાપુરા વટવા ખાતે રહેતા 55 વર્ષિય મહેરુનિશા શેખ તેના દીકરા અને પરિવાર સાથે રહે છે. આજથી ત્રણ વર્ષ અગાઉ મહિલાની દીકરીના લગ્ન જુહાપુરા…

    બેંક ઓફ અમેરિકાના IT પ્રોફેશનલને પોલીસે ભાડાની ડિપોઝિટ પાછી અપાવી

    મકાનમાલિક છ માસથી ધક્કા ખવડાવતા પોલીસનો સંપર્ક કર્યો બેંક ઓફ અમેરીકાના આઈટી પ્રોફેશનલે મણિનગરમાં એક મકાન રૂ.9 હજારના ભાડે રાખ્યુ હતુ જોકે સંજોગોવસાત તેઓ ગાંધીનગર રહેવા માટે જતા રહ્યા હતા.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    દારૂનો ધંધો બંધ કરવાનું કહેતા જમાઈએ સાસુને તલવાર મારી

    અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

    બેંક ઓફ અમેરિકાના IT પ્રોફેશનલને પોલીસે ભાડાની ડિપોઝિટ પાછી અપાવી

    કચરાના નિકાલની વ્યવસ્થા નહીં કરી હોય તો હોલ,પાર્ટીપ્લોટમાં બીયુ પરમિશન મળશે નહીં

    સાબરમતીમાં પ્રદૂષણ ન રોકવા બદલ 12 STP કોન્ટ્રાક્ટરને 4 કરોડનો દંડ

    વટવામાં ઝઘડાનું સમાધાન કરાવતા યુવકને માર માર્યો