ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

ગત વર્ષે આ રોડપર જ એકસાથે પાંચ ભૂવા પડ્યા છતાં તેનું યોગ્ય સમારકામ કરાયું નહીં

એક જ રોડ પર ભૂવા પડવાની સમસ્યાના નિરાકરણના બદલે તંત્રે થીંગડા મારી સંતોષ માન્યો

શહેરના ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 132 ફુટ રિંગરોડ ખાતે 200 મીટરના અંતરે અનેક જગ્યાએ રોડ બેસી ગયો છે. ઉપરાંત 3 જગ્યાએ ભૂવા પડતાં લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. ગત વર્ષે આ રોડપર જ એક સાથે પાંચ ભૂવા પડ્યા હતા. જેનું યોગ્ય સમારકામ કર્યુ ન હોવાના ફરીથી ભૂવા પડ્યા હતા. હવે રોડ બેસી જતાં ફરીથી મોટા ભૂવા પડવાની અને આખો રોડ બેસી જવાની આશંકા સેવાઈ રહી હોવાના લીધે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

વારંવાર ભૂવાની સમસ્યા છતાં રોડ બનાવામાં અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધીઓ ઉદાસીનતા દાખવી રહ્યા છે.આ અંગે સ્થાનિક અગ્રણી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 132 ફુટ રિંગરોડ શીતળા મંદિરથી આરતીનગર થઈને કે.વી નાગર સ્કૂલ તરફ જતા 200 મીટરના રોડ પર અનેક જગ્યાએ રોડ બેસી ગયો છે. તેમાં 3 જગ્યાએ ભૂવા પડ્યા તો કેટલીક જગ્યાએ બેસી ગયેલા રોડના લીધે વધુ ભૂવા પડવાની શક્યતા રહેલી છે.

ગત વર્ષે આ જ રોડ પર એક સાથે પાંચ ભૂવા પડ્યા હતા. પરંતુ યોગ્ય સમારકામ કરાયુ ન હોવાના લીધે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી. બાદમાં બે મહિના અગાઉ ફરી આ રોડ પર બે ભૂવા પડ્યા હતા. તેનું તંત્રે માત્ર કરવા ખાતર જ રીપેરીંગનું કામ કર્યું હતું. કેમકે યોગ્ય સમારકામ કર્યું હોત તો રોડ પર ખાડા પડવાની સમસ્યા ઊભી જ થતી નહીં. એટલે હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ આ સ્થિતિ સર્જાઈ છે તો ભારે વરસાદ પડશે તો કેવી સ્થિતિ સર્જાશે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.

જો કે આ રોડથી દરરોજ વાહનચાલકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અવરજવર કરી રહ્યા છે. એટલે ગમે ત્યારે મોટો ભૂવો પડે કે આખો રોડ બેસી જાય તો મોટી દૂર્ઘટના ઘટી શકે તેવી આશંકા છે. એટલે મ્યુનિ તંત્ર વહેલી તકે આ બેસી ગયેલા રોડનું યોગ્ય સમારકામ કરે અને ભૂવાનું પણ તાકિદે પુરાણ કરીને સમારકામ કરે તે જરૂરી છે. વધુમાં તેમણે કહયું કે, સ્થાનિક કોર્પોરેટરથી લઈને મ્યુનિ.ના અધિકારીઓ રોડ અને ભૂવા પ્રત્યે આંખ આડા કાન કરે છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી