નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત નીપજ્યા, પોલીસે તપાસ હાથ ધરી

ખેડાના નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દારુ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો પરીવારે આરોપ કરવામાં આવ્યો છે. નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. જવાહરનગર રેલવે કાયક પાસે ત્રણેય મૃતકોએ દારુ પીધાની આશંકા કરવામાં આવી છે.

ત્રણેય મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ત્યારબાદ ત્રણેય મૃતકના સેમ્પલ ગાંધીનગર FSLમાં મોકલાયા હતા. ત્રણેય મૃતકોના FSL રિપોર્ટમાં મિથાઈલ આલ્કોહોલ ન હોવાનું સામે આવ્યું છે. પરંતુ સાચુ કારણ ત્રણેય મૃતકના પોસ્ટમોર્ટમ બાદ બહાર આવી શકે છે. દેશી દારૂ સાથે અન્ય કોઈ પ્રવાહી મૃતકોએ પીધું કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત આસપાસની હોસ્પિટલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે બીજા કોઈ વ્યક્તિને પણ દારુનું સેવન કર્યા પછી તબિયત ખરાબ થઈ છે કે નહીં. જોકે જવાહરનગરમાં દારૂ વેચતા બુટલેગરોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. ઘટનાની જાણ થતા ખેડા પોલીસ જુદી જુદી હોસ્પિટલમાં પણ હાથ તપાસ હાથ ધરી છે. અન્ય કોઈને અસર થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

  • Related Posts

    શહેરની પેઢીએ બિલ વગર માલ વેચી રૂ.7 કરોડની ટેક્સચોરી કરી

    ગાયત્રી એબ્રેસિવે 37 કરોડનો માલ બિલ વગર વેચ્યો 4 વર્ષથી કરચોરી થતી હતી, ભાગીદારની ધરપકડ શહેરની ગાયત્રી એબ્રેસિવ નામની ભાગીદારી પેઢીની 7.07 કરોડની કરચોરી પકડાઈ છે. સીજીએસટીના અમદાવાદ નોર્થ કમિશનરેટે…

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    બે લોકો સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ ગોમતીપુરમાં બે સગાભાઈઓએ મારા વિશે ખોટી વાતો કેમ કરે છે કહીને એક યુવકના કાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા યુવકનો કાન કપાઈ ગયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શહેરની પેઢીએ બિલ વગર માલ વેચી રૂ.7 કરોડની ટેક્સચોરી કરી

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    મકરબામાં આવેલી એક કેન્ટિનમાં તોડફોડ કરી બે યુવકોએ આગ ચાંપી

    મધ્ય અને ઉત્તર ઝોનમાં ગંદકી કરવા બદલ 2.70 લાખ રૂપિયાનો દંડ કરાયો

    જશોદાનગરમાંથી 105 કિલો બનાવટી ઘી પકડાયું કુંભમાં પાપ ધોવા ગયેલા સપ્લાયરના ગોડાઉન સીલ

    નારોલમાં હાથઉછીનાં નાણાં પરત માંગનારા યુવક પર પાઈપથી હુમલો