બહેરામપુરામાં 20 દિવસથી ગંદા પાણીની અસરથી 8000 રહીશોને પરેશાની, આબાલ વૃદ્ધ સહિત 300 લોકો બીમાર

ઝાડા-ઊલટી,પેટમાં દુખાવો, કોલેરા જેવા રોગમાં લોકો સપડાયા, શુદ્ધ પાણી આપવામાં તંત્ર નિષ્ફળ

શહેરના દાણીલીમડા વોર્ડના બહેરામપુરાના પરિક્ષિતલાલનગર ક્વાર્ટસ અને ભીલવાસ વાસુદેવધનજીની ચાલીમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ખૂબ જ ગંદુ આવી રહ્યું છે. જેના કારણે 8 હજારથી વધારે રહીશોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમા ગંદા પાણી આવતા હોવાથી ઘરે ઘરે લોકો બિમાર પડી રહ્યા છે.

એક એક ઘરમાં ચારથી પાંચ સભ્યો બિમાર પડી રહ્યા હોવાથી અત્યારસુધીમાં 300થી વધુ લોકો ઝાડા-ઉલ્ટી,પેટમાં દુખાવો અને કોલેરા જેવા બિમારીમાં સપડાયા હોવાનું સ્થાનિકો કહે છે. એટલે વિસ્તારમાં રોગચાળો ફેલાયો છતાં મ્યુનિનો ડ્રેનેજ વિભાગ જાણે બિમાર પડી ગયો હોય તેમ આ વિસ્તારની સમસ્યાના ઉકેલ માટે કોઈ કામગીરી કરાતી ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ અંગે સામાજિક કાર્યકર રાકેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, બહેરામપુરાના પરીક્ષિતલાલ નગર ક્વાર્ટર્સ અને ભીલવાસ વાસુદેવધનજીની ચાલીમાં છેલ્લા 20 દિવસથી ખૂબ જ ગંદુ પાણી આવે છે. જેની સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓને ઘણીવાર રૂબરૂ તથા લેખિત-મૌખિક રજૂઆત કરી છે. પરંતુ અધિકારીઓ દ્વારા કામ થઈ જશે તેવી હૈયાધારણા જ આપવામાં આવે પણ કામ થતું જ નથી. આ કામ લંબાવતા ગંદા પાણીનાં લીધે હાલ સ્થાનિકોમાંથી અંદાજે ૩૦૦ થી વધુ લોકો ઝાડા ઉલ્ટી, પેટમાં દુખાવો અને કોલેરા જેવી ગંભીર બીમારીઓમાં સપડાયા છે. જેમાં ૫૦ થી વધુ લોકો સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે. તેમજ સ્થાનિક દવાખાનામાંથી દવા લઈ ઘરે બીમારીની હાલાતમાં ઘરે જ પડયા છે. સરકારી હોસ્પિટલમાં આ બીમારીના કેસો વધી જવાના કારણે જગ્યા ખૂટી પડવાના કારણે એડમિટ થવા લાયક બીમાર વ્યક્તિને માત્ર દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે જેથી તેમની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. વિસ્તારમાં કોઈ ઘર બાકી નથી જ્યાં કોઈ બીમાર ન હોય. તેમજ પીવાનું પાણી જે ટાંકીમાંથી આવે છે તે ટાંકી સાફ કરાતી જ નથી.

  • Related Posts

    શાહીબાગમાં યુવકે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

    શાહીબાગમાં 18 વર્ષીય યુવકે કોઈ કારણોસર પોતના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.શાહીબાગ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. શાહીબાગમાં કડીયાની ચાલીમાં રહેતા પાર્થ ગોપાલભાઈ પટણી(ઉ.18)એ કોઈ…

    ખોખરામાં ગેરકાયદેસર મકાન વેચાણ કરી 27 લાખ પરત ન આપતા બે સામે ફરિયાદ

    કાયદેસરના મકાનની બાજુમાં ગેરકાયદે મકાન બનાવી દસ્તાવેજ આપ્યો હતો ખોખરામાં રહેતા વેપારીએ તેમના નજીકમાં રહેતા બે ભાઈઓનુ મકાન ખરીદવા માટે રૂ.27 લાખ બોનાપેટે આપ્યા હતા. આ દરમિયાન તેમને જાણ થઈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાહીબાગમાં યુવકે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

    ખોખરામાં ગેરકાયદેસર મકાન વેચાણ કરી 27 લાખ પરત ન આપતા બે સામે ફરિયાદ

    દાણીલીમડામાં પીણાંની ડીલરશિપ આપવાના નામે 2.50 લાખની ઠગાઈ

    હાંસોલમાં અમેરિકન નાગરિકોને લોનના નામે ઠગાઈ કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ

    અમરાઈવાડીમાં સગીરાનું નકલી આઈડી બનાવનાર સામે ફરિયાદ

    વટવામાં પરિણીતાને હેરાન કરનારા પુરુષ સામે ફરિયાદ