બહેરામપુરામાં 20 દિવસથી ગંદા પાણીની અસરથી 8000 રહીશોને પરેશાની, આબાલ વૃદ્ધ સહિત 300 લોકો બીમાર

ઝાડા-ઊલટી,પેટમાં દુખાવો, કોલેરા જેવા રોગમાં લોકો સપડાયા, શુદ્ધ પાણી આપવામાં તંત્ર નિષ્ફળ

શહેરના દાણીલીમડા વોર્ડના બહેરામપુરાના પરિક્ષિતલાલનગર ક્વાર્ટસ અને ભીલવાસ વાસુદેવધનજીની ચાલીમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ખૂબ જ ગંદુ આવી રહ્યું છે. જેના કારણે 8 હજારથી વધારે રહીશોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમા ગંદા પાણી આવતા હોવાથી ઘરે ઘરે લોકો બિમાર પડી રહ્યા છે.

એક એક ઘરમાં ચારથી પાંચ સભ્યો બિમાર પડી રહ્યા હોવાથી અત્યારસુધીમાં 300થી વધુ લોકો ઝાડા-ઉલ્ટી,પેટમાં દુખાવો અને કોલેરા જેવા બિમારીમાં સપડાયા હોવાનું સ્થાનિકો કહે છે. એટલે વિસ્તારમાં રોગચાળો ફેલાયો છતાં મ્યુનિનો ડ્રેનેજ વિભાગ જાણે બિમાર પડી ગયો હોય તેમ આ વિસ્તારની સમસ્યાના ઉકેલ માટે કોઈ કામગીરી કરાતી ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ અંગે સામાજિક કાર્યકર રાકેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, બહેરામપુરાના પરીક્ષિતલાલ નગર ક્વાર્ટર્સ અને ભીલવાસ વાસુદેવધનજીની ચાલીમાં છેલ્લા 20 દિવસથી ખૂબ જ ગંદુ પાણી આવે છે. જેની સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓને ઘણીવાર રૂબરૂ તથા લેખિત-મૌખિક રજૂઆત કરી છે. પરંતુ અધિકારીઓ દ્વારા કામ થઈ જશે તેવી હૈયાધારણા જ આપવામાં આવે પણ કામ થતું જ નથી. આ કામ લંબાવતા ગંદા પાણીનાં લીધે હાલ સ્થાનિકોમાંથી અંદાજે ૩૦૦ થી વધુ લોકો ઝાડા ઉલ્ટી, પેટમાં દુખાવો અને કોલેરા જેવી ગંભીર બીમારીઓમાં સપડાયા છે. જેમાં ૫૦ થી વધુ લોકો સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે. તેમજ સ્થાનિક દવાખાનામાંથી દવા લઈ ઘરે બીમારીની હાલાતમાં ઘરે જ પડયા છે. સરકારી હોસ્પિટલમાં આ બીમારીના કેસો વધી જવાના કારણે જગ્યા ખૂટી પડવાના કારણે એડમિટ થવા લાયક બીમાર વ્યક્તિને માત્ર દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે જેથી તેમની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. વિસ્તારમાં કોઈ ઘર બાકી નથી જ્યાં કોઈ બીમાર ન હોય. તેમજ પીવાનું પાણી જે ટાંકીમાંથી આવે છે તે ટાંકી સાફ કરાતી જ નથી.

  • Related Posts

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવા, ખાડિયા, નરોડા, કુબેરનગર અને સરદારનગરની સમસ્યાઓ ઉકેલવા આયોજન નરોડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઈન નખાશે શહેરના પૂર્વના 5 વોર્ડમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ અને…

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    વટવા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા એક આધેડ દાઝી ગયા હતા જેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. ધંધુકા નવાપરામાં રહેતા નિતિનભાઈ પનારા(ઉ 55) ગત તા બીજી મે ના રોજ બપોરના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    નિકોલ પોલીસે ગુમ થયેલા 15 ફોન નાગરિકોને પરત કર્યા

    નરોડા મુઠિયામાં બુટલેગરના બે માળના ગેરકાયદે મકાનને તોડી પડાયું

    સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી ઉઘરાવનારો વડોદરાથી ઝડપાયો

    હાથીજણમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી બિલમાંથી તેનો ટેક્સ બાદ કરો