વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી

કંપનીના સોફ્ટવેરમાં ડબલ એન્ટ્રી જણાતાં તપાસ કુરતા ઠગાઈનો ભાંડો ફૂટ્યો

વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના એકાઉન્ટન્ટે કંપનીના મેનેજમેન્ટ સોફટવેરમાં સુધારા વધારા કરીને તેના તેમજ તેના મળતીયાઓના અલગ અલગ બેંક એકાઉન્ટમા એપ્રિલ 2023 થી 31 મે 2025 સુધીના સમયગાળામાં કુલ રૂ. ૩ કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરીને કંપની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી. આ અંગે કંપનીના ફાયનાન્સ હેડએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એકાઉટન્ટ સામે ફરિયાદ નોંધાવી છે.

મણિનગરમાં રહેતા ભાવેશભાઈ પરમાર વટવા જીઆઈડીસીમાં આવેલી પ્રસાદ ગ્રુપ ઓફ કંપનીઝમાં ફાઈનાન્સ હેડ તરીકે ફરજ બજાવે છે. કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે રાકેશ શાહ કામ કરે છે જેમની કામગીરી કંપનીના જીએસટી રિર્ટન ફાઈલ કરવા. ટીડીએસ ફાઈલ કરવા તેમજ બેંકખાતાના તમામ પેમેન્ટ કરવાની કામગીરી તથા ડેટા ઈનપુટર તરીકેની છે. આ ઉપરાંત રાકેશ શાહને સોફટવેરમાં એન્ટ્રી, એડીટ, એડ એમેન્ડ ડિલિટ, વ્યુ તથા પ્રિન્ટ કરવાની પૅણ સત્તા આપવામાં આવી હતી.

ગત સાતમી જૂને કંપનીના ડાયરેકટર પ્રેમલભાઈને ઈઆરપી મેનેજમેન્ટ સોફટવેર મારફતે જાણવા મળ્યુ હતુ કે, કંપનીના સોફટવેરમાં અમુક વેન્ડરની ડબલ એન્ટ્રીઓ તથા તેમાં સુધારાવધારા થયા છે.

જેથી કંપનીના ઓથોરાઈઝ્ડ માણસોએ તપાસ કરતા કંપનીમાં ડબલ એન્ટ્રીઓ તથા સુધારા વધારાની પણ એન્ટ્રીઓ થઈ હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ અંગે રાકેશ શાહનો સંપર્ક કરતા તેઓ ફોન ઉપાડતા નહતા. તેમજ તેમના ઘરે કંપનીના માણસને મોકલી તપાસ કરાવતા બંને ઘરે તાળું મારેલું હતુ. આથી રાકેશ શાહે નાણાંની ઉચાપત કરી હોવાની શંકાના આધારે તપાસ કરતા બેક સ્ટેટમેન્ટ મંગાવતા કંપનીના એકાઉન્ટમાંથી રાકેશ શાહ તેમના પત્ની તથા અન્ય લોકોના મળી કુલ છ બેંક એકાઉન્ટમાં ગત ता 1 April 2023 31 मे 2025 સુધીમાં અલગ અલગ મળી કુલ રૂપિયા 3,03,27247ની ઉચાપત કરવામાં આવી હોવાનું ખુલ્યુ હતુ.આ અંગે કંપનીના ફાઈનાન્સ હેડ ભાવેશભાઈ પરમારએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રાકેશ શાહ વિરુદ્ધ નાણાંકીય ઉચાપત કર્યાની ફરિયાદ નોધાવી છે.

કંપનીના સોફટવેરમાં અમુક વેન્ડરની ડબલ એન્ટ્રીઓ તથા તેમા સુધારાવધારા થયા હોવાનું ડાયરેકટરના ધ્યાને આવ્યું હતું.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી