શાહીબાગમાં 18 વર્ષીય યુવકે કોઈ કારણોસર પોતના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.શાહીબાગ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. શાહીબાગમાં કડીયાની ચાલીમાં રહેતા પાર્થ ગોપાલભાઈ પટણી(ઉ.18)એ કોઈ કારણોસર ગુરુવારે બપોરના 4 વાગે પોતાના ઘરે ગળેફાંસો ખાતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જયાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજયુ હતુ. આ મામલે હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આત્મહત્યા માટે જવાબદાર કારણની તપાસ હાથ ધરી છે.
વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી
ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…