શાહીબાગમાં 18 વર્ષીય યુવકે કોઈ કારણોસર પોતના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.શાહીબાગ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. શાહીબાગમાં કડીયાની ચાલીમાં રહેતા પાર્થ ગોપાલભાઈ પટણી(ઉ.18)એ કોઈ કારણોસર ગુરુવારે બપોરના 4 વાગે પોતાના ઘરે ગળેફાંસો ખાતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જયાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજયુ હતુ. આ મામલે હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આત્મહત્યા માટે જવાબદાર કારણની તપાસ હાથ ધરી છે.
વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે
કલેક્ટર કચેરી દ્વારા અપાયેલા હુકૂમનું પાલન થતું નથી વટવામાં આવેલ મામા તલાવડી મ્યુનિ.ને સોંપવા કલેક્ટર કચેરી દ્વારા માર્ચ 2023માં હુકમ કરવામાં આવ્યો હતો. ટીપી 107 અને સર્વે નંબર 683 પર…







