અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીનાં (DGP Vikas Sahay) આદેશ મુજબ, બદલી કરાયેલ તમામ પોલીસકર્મીઓને (Ahmedabad Police) બદલીવાળી જગ્યાએ હાજર થવા અને તાત્કાલિક અસરથી છૂટા કરવાની સૂચના અપાઈ છે. જણાવી દઈએ કે, ફરજ પર નિષ્કાળજી દાખવા અને ધીમી કાર્યવાહી કરવા બદલ ગઈકાલે એક જ દિવસમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં PI એસ.એ.પટેલ (PI S.A. Patel) અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં PI BD ઝિલારિયાને (PI BD Zhilariya) સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે, આજે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં PSO લાલસંગ સાગરદાન ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં PI એલ.એલ. ચાવડા સામે પણ તપાસનો હુકમ કરાયો છે.

માહિતી અનુસાર, ADGP ખુરશીદ એહમદ (ADGP Khursheed Ahmed) દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર શહેરમાં ફરજ બજાવતા 13 જેટલા પોલીસકર્મીઓને અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. એવી ચર્ચા છે કે બદલી કરાયેલા પોલીસકર્મીઓ સામે ગંભીર આરોપ છે.

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ ‘કાંડ’ (Khyati Hospital Kand) અને સતત વધી રહેલા હત્યાનાં બનાવ અને ગુનાખોરીને લઈ શહેર પોલીસની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં બે PI જ્યારે આજે એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે, શહેરમાં ફરજ બજાવતા 13 જેટલા પોલીસકર્મીઓની અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવાનો આદેશ કરાયો છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી