પોલીસ કાયદો જાળવે, જમીનના ધંધાનું કામ બંધ કરેઃ હર્ષ સંઘવી

ઉપરાછાપરી ઘટનાઓ પછી અધિકારીઓને તેડું

અમદાવાદમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં લેવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ સોમવારે ઈન્ચાર્જ પોલીસ કમિશનર માંડીને ડીસીપી સુધીના અધિકારીઓને તેડું આપીને ગાંધીનગર બોલાવ્યા હતા. જેમાં અમદાવાદમાં ઉપરા છાપરી બનેલી હત્યા સહિતની ઘટનાઓની સમીક્ષા કરી હતી. તેમણે પોલીસને ટકોર કરી હતી કે ગુનેગાર પોલીસથી ડરવો જોઈએ અને સામાન્ય માણસોને એવું લાગવું જોઈએ કે પોલીસ કામ કરી રહી છે. તેવું વાતાવરણ ઉભું કરો. પોલીસને જમીનોના ધંધામાં નહીં પડવા માટે પણ તેમણે ખાસ ટકોર કરી હતી.

અમદાવાદમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પાછળ કયા પરિબળ કારણભૂત છે તેમજ આ પરિસ્થિતિ સુધારવા પોલીસે શું કરવું જોઈએ તેની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસની ટીમને ગાંધીનગર બોલાવી હતી. જેમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, સેકટર-1ના અધિક પોલીસ કમિશનર નિરજ કુમાર બડગુજર, ક્રાઈમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર શરદ સિંઘલ તેમજ ડીસીપી અજીત રાજીયન સહિતના અધિકારી હાજર રહ્યા હતા.

જુનિયર પોલીસ અધિકારીઓ જમીનના ધંધમાં પડે તો સિનિયર અધિકારીઓનું કામ છે તેમને પાઠ ભણાવવાનું અને જો સિનિયર પોલીસ અધિકારીઓ પણ જમીનના ધંધામાં પડશે તો હું તેમને પાઠ ભણાવીશ.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન