પોલીસ કાયદો જાળવે, જમીનના ધંધાનું કામ બંધ કરેઃ હર્ષ સંઘવી

ઉપરાછાપરી ઘટનાઓ પછી અધિકારીઓને તેડું

અમદાવાદમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં લેવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ સોમવારે ઈન્ચાર્જ પોલીસ કમિશનર માંડીને ડીસીપી સુધીના અધિકારીઓને તેડું આપીને ગાંધીનગર બોલાવ્યા હતા. જેમાં અમદાવાદમાં ઉપરા છાપરી બનેલી હત્યા સહિતની ઘટનાઓની સમીક્ષા કરી હતી. તેમણે પોલીસને ટકોર કરી હતી કે ગુનેગાર પોલીસથી ડરવો જોઈએ અને સામાન્ય માણસોને એવું લાગવું જોઈએ કે પોલીસ કામ કરી રહી છે. તેવું વાતાવરણ ઉભું કરો. પોલીસને જમીનોના ધંધામાં નહીં પડવા માટે પણ તેમણે ખાસ ટકોર કરી હતી.

અમદાવાદમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પાછળ કયા પરિબળ કારણભૂત છે તેમજ આ પરિસ્થિતિ સુધારવા પોલીસે શું કરવું જોઈએ તેની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસની ટીમને ગાંધીનગર બોલાવી હતી. જેમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, સેકટર-1ના અધિક પોલીસ કમિશનર નિરજ કુમાર બડગુજર, ક્રાઈમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર શરદ સિંઘલ તેમજ ડીસીપી અજીત રાજીયન સહિતના અધિકારી હાજર રહ્યા હતા.

જુનિયર પોલીસ અધિકારીઓ જમીનના ધંધમાં પડે તો સિનિયર અધિકારીઓનું કામ છે તેમને પાઠ ભણાવવાનું અને જો સિનિયર પોલીસ અધિકારીઓ પણ જમીનના ધંધામાં પડશે તો હું તેમને પાઠ ભણાવીશ.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી