5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

વટવા, ખાડિયા, નરોડા, કુબેરનગર અને સરદારનગરની સમસ્યાઓ ઉકેલવા આયોજન

નરોડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઈન નખાશે

શહેરના પૂર્વના 5 વોર્ડમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ અને પેવર બ્લોક નાંખવાની કામગીરી માટે કુલ રૂ 7.35 કરોડનો ખર્ચ કરવાનું મ્યુનિ.એ આયોજન કર્યું છે. જેમાં વટવા વોર્ડમાં ડ્રેનેજ સેકશન, મશીનહોલ બનાવવા તથા રીપેરીંગની કામગીરી કરાશે. ખાડિયામાં ડ્રેનેજ લાઈન અપગ્રડે કરવા અને નરોડામાં સ્ટોર્મ વોટર લાઈન નાંખવાનું કામ કરવામાં આવશે. જ્યારે કુબેરનગર અને સરદારનગરમાં આરસીસી રોડ અને પેવર બ્લોક લગાવાની કામગીરી કરવામાં આવશે.

વટવા વોર્ડમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ લાઈનના મશીનહોલ જર્જરિત બની ગયા હતા. ઉપરાંત ઘણી જગ્યાએ ડ્રેનેજ સેકશન પણ ખરાબ થઈ ગયા હોવાથી તેને બદલવાની માગ ઊઠી હતી. એટલે વટવા વોર્ડમાં આવેલા ઘોડાસર વિસ્તાર,ગામતળ વિસ્તાર. સૈયદવાડી વિસ્તાર તેમજ અન્ય જરૂરી રસ્તાઓ ઉપર જરૂરિયાત અનુસાર ડ્રેનેજ સેકશન બદલવા, મશીનહોલ બનાવવા અને જરૂરિયાત મુજબ રીપેરીંગ કરવાના કામ માટે બીજી વાર ટેન્ડર મંગાવ્યું હતું. જેમાં એકમાત્ર કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડર ભરીને રૂ.47.94 લાખનો ખર્ચ કરાશે.જ્યારે ખાડિયા વોર્ડમા વર્ષો જુની ડ્રેનેજ લાઈનો હોવાના લીધે વારંવાર લાઈનોમાં ભંગાણ પડતા હોવાની ફરિયાદો ઊઠે છે. વારંવાર લાઈનો બદલવાની માંગ ઊઠવા છતાં થીંગડા મારવા જેવું સમારકામ કરીને મ્યુનિ કર્મચારીઓ સંતોષ માની લે છે. ત્યારે ખાડિયા વોર્ડમાંએમપી.એમએલએ, કાઉન્સિલર અને અન્ય બજેટમાંથી ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવાના કામ માટે રૂ.65 લાખનો ખર્ચ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે નરોડા વોર્ડમાં ઘણી જગ્યાએ વરસાદી પાણીના નિકાલ થતો ન હોવાથી પાણી ભરાઈ રહેવાની સમસ્યાઓથી લોકો હેરાન થઈ ગયા છે.

એટલે આ સમસ્યાના લીધે દર ચોમાચામાં પાણી ભરાવાનીસમસ્યાનો લોકોને સામનો કરવો પડે છે. એટલે નરોડા વોર્ડમાં પુષ્પક પંપીગથી અમુલ ચાર રસ્તા થઈને યોગી સર્કલ સુધી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાના કામ માટે અદાજીત ભાવથી 18.61 ટકા ઓછા ભાવે એટલે રૂ.3.40 કરોડનો ખર્ચ કરવાનું નક્કી કરાયું છે. જ્યારે ઉત્તર ઝોનના કેટલાક રોડબિસમાર બની ગયા હોવાથી તેને આરસીસી રોડ બનાવવા લોકો મ્યુનિ કોર્પોરેશનમાં રજૂઆતો કરતા હતા. જેના પગલે મ્યુનિ દ્વારા સરદારનગર અને કુબેરનગર વોર્ડમાં જુદા-જુદા મેઈન ટીપી રોડ અને એમપી.એમએલએ દ્વારા ફાળવેલા બજેટ પૈકીના રોડને આરસીસી રોડ અને પેવર બ્લોક લગાવવાના કામ માટે રૂ.2.82 કરોડનો ખર્ચ કરાશે.

વોટર નેટવર્ક નાખવાના કામની મુદત વધી

રામોલ-હાથીજણ વોર્ડમાં બચુભાઈ કુવા અને જાનીયાપીરના ટેકરા વિસ્તારમાં બનાવાતા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન માટે વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાંખવા રૂ.1.25 કરોડના ખર્ચે કામગીરી એક કોન્ટ્રાકટરને સોંપાઈ હતી. મંજુર થયેલા ટેન્ડરની સમય મર્યાદામાં તા.15-11-2023 ના થી વધારીને વધુ 9 માસ એટલે કે તા.15-8-2024 સુધીની મંજૂરી મળી હતી. હવે તેને પણ વધારીને વધુ 289 દિવસ એટલે કે 31-5-2025 સુધી વધારવાનું નક્કી કરાયું છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન