વસ્ત્રાલમાં ઘરેલુ હિંસામાં પકડ વોરંટ બજાવવા ગયેલી પોલીસ સાથે ઝઘડો

રામોલ પોલીસે ઝઘડો કરનારી મહિલા અને યુવક સામે ગુનો નોંધ્યો

શહેરમાં હવે વોરંટ બજાવવા ગયેલી પોલીસ સાથે ગેરવર્તન થયુ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. વસ્ત્રાલમાં ઘરેલુ હિંસાના કેસમાં પકડ વોરંટની બજાવણી કરવા માટે રામોલ પોલીસના બે કર્મચારી ગયા હતા. ત્યારે જેના નામનુ વારંટ હતુ તે વ્યક્તિ હાજર ન હોઈ તેના પરિવારના બે સભ્યોએ પોલીસ સાથે ગેરવર્તન કરીને તમે અમારા ઘરે આવી રીતે આવી શકો નહીં કહીને ઝઘડો કરીને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. જેના પગલે રામોલ પોલીસે ઝઘડો કરનારી ધારી વૃદ્ધા અને યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ડોમેસ્ટિક રિકવરીનું પકડ વોરંટ બજાવવા ગયેલી રામોલ પોલીસને પણ કડવો અનુભવ થયો છે. વસ્ત્રાલ મહાદેવનગર ટેકરા પાસેની સાંઈધામ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા કલ્પેશકુમાર રામસેવક ભદોરિયાની વિરુદ્ધમાં નામદાર એડીશનલ ચીફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલું હિંસાનો કેસ ચાલી રહ્યો હતો. કોર્ટમાં ચાલતી મુદતે આરોપી કલ્પેશ ભદોરિયા કોર્ટ સમક્ષ હાજર નહી રહેતા તેમના વિરુદ્ધમાં કોર્ટે પકડ વોરંટ કાઢ્યું હતું. રવિવારે સાંજે રામોલ પોલીસના બે કર્મચારી કલ્પેશ ભદોરિયાના રહેણાક મકાનમાં પકડ વોરંટની બજવણી કરવા પહોચ્યા હતા.

ત્યારે ઘરમાં હજાર 55 વર્ષીય સુનિતાબેન ભદોરિયા અને 31 વર્ષીય મનીષ ભદોરિયા આવ્યા અને વોરંટની બજાવણી કરવા આવેલ રામોલ પોલીસના બંને કર્મીઓ સાથે ઉદ્ધાતાઈપૂર્વકનું વર્તન કરવા લાગ્યા હતા.તેમજ કહેવા લાગ્યા હતા કે, તમે અમારા ઘરે આવી રીતે આવી શકો નહીં કહીને ઉગ્ર બોલાચાલી કરીને ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારબાદ રામોલ પોલીસે મહિલા પોલીસ સહીતનો સ્ટાફ બોલાવીને વૃદ્ધા અને યુવકને રામોલ પોલીસ સ્ટેશન લાવીને બંને વિરુદ્ધ પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરવા સહીતની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

  • Related Posts

    વટવાGIDCમાંબે દુકાનદાર બાળમજૂરી કરતા પકડાયા

    વેજલપુરમાં રહેતા અને એસોસીએશન ફોર વોલેન્ટરી એકશન સંસ્થાના સ્ટેટ કોર્ડીનેટર દામિનીબેન પટેલ અને તેમની સાથી કર્મચારીઓએ પોલીસ ટીમ સાથે હાથીજણ વિસ્તારમાં તપાસ કરતાં ક્રિશ્ના છોલેભટુરે તેમજ જય અંબે ઈડલી વડા…

    વટવા-નારોલમાં બે પુરુષોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    શહેરના વટવા અને નારોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. વટવા સંકલ્પ રેસીડેન્સી માં રહેતા સુબોધભાઈ વિનોદભાઈ પરમાર(ઉ.41) અગમ્ય કારણોસર ગુરુવારે સવારના 8…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવાGIDCમાંબે દુકાનદાર બાળમજૂરી કરતા પકડાયા

    વટવા-નારોલમાં બે પુરુષોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    નારોલમાં નજીવી બાબતમાં પાર્લર પરબેશખ્સોએ તોડફોડ મચાવી

    ચંડોળા તળાવમાંથી દબાણો હટાવાયા બાદ કુલ 3877 મેટ્રિક ટન કાટમાળ દૂર કરાયો

    ચંડોળા તળાવમાંથી દબાણો હટાવાયા બાદ કુલ 3877 મેટ્રિક ટન કાટમાળ દૂર કરાયો

    વસ્ત્રાલમાં આઈકોનિક રોડ પર ગટર ઉભરાતાં લોકો ત્રસ્ત

    નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા