હાથીજણના લાલગેબી સર્કલના રોડ પાસે માટીના ઢગલા કરાતા વાહનચાલકો હેરાન

ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યાં રોડ પહોળા કરવા માટી નાંખતા રોડ બગડશે

શહેરના હાથીજણના લાલગેબી સર્કલ પાસે રોડ પહોળો કરવા માટે તેની પાસે માટીના ઢગલા કરવામાં આવ્યા છે. હવે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા રોડ પર માટીના ઢગલા કરાતા સામાન્ય વરસાદમાં પણ અહીંયા કાદવ-કીચડની સમસ્યા સર્જાય તેવી આશંકા છે. જેના લીધે વાહનચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાથીજણના લાલ ગેબી સર્કલ પાસે તંત્ર દ્વારા ડામરનો રોડ અને આરસીસીનો રોડ બનાવ્યો છે. હવે મેઈન રોડ મોટો કરવા માટે બાજુમાં માટીના ઢગલા કરવા માંડ્યા છે. એટલે અડધો સર્વિસ રોડ માટીથી મોટો કરવામાં આવ્યો છે. હવે વરસાદની સીઝન ચાલુ થઈ રહી છે. તો પછી રોડની હાલત શું થશે ? બીજી વાત કરીએ તો બાજુમાં વરસાદી પાણી નિકાલ કરવા માટે ગટર પણ નથી હવે આખા ચોમાસામાં શું હાલત થશે એ જોવાનું રહ્યું.

જો કે રોડ બનાવવા માટે બાજુના લાઈટના થાંભલા કાઢી નાંખ્યા હોવાના લીધે ત્યાં અંધારપટ કરી નાખ્યું છે.

એટલે હાથીજણના લાલગેબી સર્કલ પાસે એક સાંધો ત્યાં તેર તુટી જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી રહી છે. હવે રોડની બાજુમાં કરાયેલા માટીના ઢગલા વહેલી તકે હટાવી લેવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

  • Related Posts

    વટવાGIDCમાંબે દુકાનદાર બાળમજૂરી કરતા પકડાયા

    વેજલપુરમાં રહેતા અને એસોસીએશન ફોર વોલેન્ટરી એકશન સંસ્થાના સ્ટેટ કોર્ડીનેટર દામિનીબેન પટેલ અને તેમની સાથી કર્મચારીઓએ પોલીસ ટીમ સાથે હાથીજણ વિસ્તારમાં તપાસ કરતાં ક્રિશ્ના છોલેભટુરે તેમજ જય અંબે ઈડલી વડા…

    વટવા-નારોલમાં બે પુરુષોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    શહેરના વટવા અને નારોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. વટવા સંકલ્પ રેસીડેન્સી માં રહેતા સુબોધભાઈ વિનોદભાઈ પરમાર(ઉ.41) અગમ્ય કારણોસર ગુરુવારે સવારના 8…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવાGIDCમાંબે દુકાનદાર બાળમજૂરી કરતા પકડાયા

    વટવા-નારોલમાં બે પુરુષોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    નારોલમાં નજીવી બાબતમાં પાર્લર પરબેશખ્સોએ તોડફોડ મચાવી

    ચંડોળા તળાવમાંથી દબાણો હટાવાયા બાદ કુલ 3877 મેટ્રિક ટન કાટમાળ દૂર કરાયો

    ચંડોળા તળાવમાંથી દબાણો હટાવાયા બાદ કુલ 3877 મેટ્રિક ટન કાટમાળ દૂર કરાયો

    વસ્ત્રાલમાં આઈકોનિક રોડ પર ગટર ઉભરાતાં લોકો ત્રસ્ત

    નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા